સંસદમાં વિપક્ષનું વર્તન એ ગૃહનું જ નહિ દેશનું, બંધારણનું અપમાન : શિવરાજસિંહ ચૌહાણ
![Opposition's behavior in Parliament is an insult not only to the House but to the country, to the Constitution: Shivraj Singh Chauhan](https://bombaysamachar.com/wp-content/uploads/2024/08/Shivraj-Singh-Chauhan-1.webp)
નવી દિલ્હી: રાજ્યસભામાં આજે પ્રશ્નકાળ દરમિયાન ભારે ધમાલ મચી ગઈ હતી. આ દરમિયાન વિપક્ષી નેતાઓએ ગૃહની કાર્યવાહીમાંથી વોકઆઉટ કર્યું હતું. વિરોધ પક્ષના નેતાનું વર્તન જોઈને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ તેમના પર રોષે ભરાયા હતા. ગૃહમાં પોતાનો પક્ષ રજૂ કરતા શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે આ પહેલા મેં આવું અમર્યાદિત અને અભદ્ર વર્તન ક્યારેય જોયું નથી. આ સિવાય તેમણે વિપક્ષને માફી માંગવાની પણ માંગ કરી હતી. ચાલો જણાવી કે શિવરાજ સિંહ ચૌહાણે શું કહ્યું.
કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પોતાના વિચારો રજૂ કરતા કહ્યું કે, ‘આ ગૃહ માત્ર ઈંટો અને ગારાની બનેલી ઇમારત નથી, આ લોકશાહીનું પવિત્ર મંદિર છે. હું 6 વખત લોકસભા અને 6 વખત વિધાનસભાનો સભ્ય રહ્યો છું. હું 12 વખત વિધાનસભા કે લોકસભામાં આવ્યો છું પરંતુ વિપક્ષનું આવું અભદ્ર અને અમર્યાદિત વર્તન મેં મારા જીવનમાં ક્યારેય જોયું નથી.
તેમણે આગળ કહ્યું, ‘આજે હ્રદય વ્યથિત છે, પીડાથી ભરેલું છે. આ માત્ર આ સદનનું જ અપમાન નથી. આ દેશના લોકતાંત્રિક મૂલ્યોનું પણ અપમાન છે. આ લોકશાહીનું અપમાન છે. આ બંધારણનું અપમાન છે.
શિવરાજ સિંહ ચૌહાણે વધુમાં કહ્યું કે, ‘આજે સાબિત થઈ ગયું છે કે ગેરજવાબદાર વિપક્ષ દેશને અરાજકતામાં ધકેલી દેવાનો પ્રયાસ કરી રહ્યો છે.’ તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે અમે જવાબ માટે આવીએ છીએ, ત્યારે અમે માત્ર પ્રશ્નકર્તાને જ જવાબ આપતા નથી, અમે જનતા માટે પણ તે જવાબ આપીએ છીએ. પરંતુ આજે પ્રશ્નકાળમાં જે વ્યવહાર દર્શાવવામાં આવ્યો છે તેનું ખરેખર બીજું કોઈ ઉદાહરણ ન મળી શકે. વિપક્ષે આ માટે માફી માંગવી જોઈએ. તેણે આખા ગૃહ અને દેશને શરમાવ્યો છે.