નેશનલમનોરંજન

આ અભિનેતાને પણ થયો છે મિસિસ બચ્ચનના ગુસ્સાનો અનુભવ

શ્રીમતી જયા અમિતાભ બચ્ચનના ગુસ્સાથી તો હર કોઇ વાકેફ છે. પાપારાઝીથી લઇને ઘરના બધાને તેમના ગુસ્સાનો અનુભવ છે. હવે હાલમાં અભિનેતા અરશદ વારસીએ જણાવ્યું છે કે સિનિયર મિસિસ બચ્ચનના ગુસ્સાનો અનુભવ તેમને પણ થયો છે.

અનિલ કપૂર અને શ્રીદેવીની 1993માં આવેલી ફિલ્મ રૂપ કી રાની ચોરોં કા રાજામાં કોરિયોગ્રાફર તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેતા અરશદ વારસીએ 1996માં તેરે મેરે સપને ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. અરશદ તેના ફિલ્મી લાઇફના શરૂઆતના દિવસોમાં મુસાફરી દરમિયાન આરામદાયક પોશાક પહેરવાનું પસંદ કરતા હતા. સામાન્ય રીતે આમ પણ જેન્ટ્સ લોકો કપડા માટે બહુ વરણાગી નથી હોતા. તેમને કુલ અને કમ્ફર્ટ ધરાવતા એક જોડી કપડા મળી જાય એટલે બસ. અભિનેતા અરશદ પણ એ સમયે ચડ્ડી-બનિયાન જેવા કુલ લુકમાં ફરતો હતો. જયા બચ્ચનને તેમની આ સ્ટાઇલ પસંદ નહોતી આવી અને તેમણે અરશદને બોલાવ્યો અને તેને યોગ્ય રીતે ડ્રેસ કરવા કહ્યું હતું.

આ પણ વાંચો: મૈં જયા અમિતાભ બચ્ચન, કહીને સાંસદે રાજ્યસભામાં કોને પૂછ્યું લંચ બ્રેક મિલા કે…

અરશદ વારસીએ હાલમાં UNFILTERED પરની તેમની ચેટ દરમિયાન આ ઘટના વર્ણવી હતી. અરશદ તેની ડેબ્યૂ ફિલ્મ ‘તેરે મેરે સપને’નું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. અભિનયના શરૂઆતના દિવસોમાં તેમણે શૂટિંગ માટે હૈદરાબાદ જવાનું હતું, અને તે ચડ્ડી અને બનિયાન પહેરીને ફ્લાઈટમાં બેઠો હતો. એ સમયે જયા બચ્ચન પણ આ જ ફ્લાઇટમાં ટ્રાવેલ કરી રહ્યા હતા. તેમને અરશદની આ સ્ટાઇલ પસંદ નહોતી આવી. તેમણે તેની ટીમને સંદેશ પણ મોકલ્યો. તેના શબ્દોને યાદ કરતાં અરશદે કહ્યું હતું કે, મિસિસ બચ્ચને જણાવ્યું હતું કે “કૃપા કરીને મિસ્ટર વારસીને કહો કે તેઓ મુસાફરી કરે ત્યારે યોગ્ય પોશાક પહેરીને આવે.

આ ઉપરાંત એક વાર અરશદને જયા બચ્ચને ફિલ્મના સ્ક્રીનિંગ માટે બોલાવ્યો હતો. ફિલ્મ પૂરી થયા બાદ તેમણે અરશદ પાસે રિવ્યુ માગ્યો. અરશદે તેમને બેધડક કહી દીધું કે, ‘બકવાસ.’ આ સાંભળીને જયા બચ્ચન અરશદને એક કોર્નરમાં લઇ ગયા અને કહ્યું કે, ‘તમારો અભિપ્રાય તમારી પાસે રાખો.’ એ વખતે જ અરશદ સમજી ગયો કે અહીં સાચું બોલવાની જરૂર નથી. ફિલ્મ કેટલી ખરાબ હોય તેનાથી કોઇ ફરક પડતો નથી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અરશદ વારસીએ ‘હીરો હિન્દુસ્તાની’, ‘જાની દુશ્મન: એક અનોખી કહાની’, ‘સહર’, ‘હલચલ’, મૈને પ્યાર ક્યું કિયા?, ‘ઇશિક્યા’, ‘સલામ નમસ્તે’,’ટોટલ ધમાલ’, ‘ગોલમાલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. અરશદ સંજય દત્ત અને ગ્રેસી સિંઘ-સ્ટારર મુન્નાભાઈ MBBS માં સર્કિટ તરીકેની ભૂમિકા માટે જાણીતા છે. તે ગોલમાલ સિરીઝમાં કોમિક રોલ કરવા માટે પણ જાણીતા છે. અરશદ હવે વેલકમ ટુ ધ જંગલમાં જોવા મળશે, જે વેલકમ ફ્રેન્ચાઇઝીનો ત્રીજો ભાગ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કોર્પોરેટ કર્મચારીઓએ લંચ પછી 10 મિનિટ ચાલવું શા માટે મહત્વનું છે Kriti Sanon In Greece તમે પણ પાસવર્ડ ક્રિયેટ કરતી વખતે નથી કરતાં ને આ ભૂલ? બિકિની નહીં પણ આ કપડાંમાં બોલ્ડ ફોટોશૂટ કરાવી અભિનેત્રીઓએ મચાવ્યો તહેલકો…