ધર્મતેજ

પોતે સામાન્ય નથી, સામાન્ય કરતાં કાંઈક ભિન્ન છે, અસામાન્ય છે, અલૌકિક છે

અલૌકિક દર્શન -ભાણદેવ

સિકંદર આ ડાહી વાત સમજી ન શક્યો. જગત જીતવા નીકળ્યો. જગત તો જીતી ન શક્યો, પરંતુ શાંતિથી જીવવા માટે પોતાને દેશ પાછો પહોંચ્યો જ નહીં. રસ્તામાં બેબિલોનમાં મૃત્યુ પામ્યો.
જર્મનપ્રજા વિશ્ર્વની સર્વ પ્રજાઓથી ચડિયાતી છે, શ્રેષ્ઠ છે, અસામાન્ય છે, તેમ સિદ્ધ કરવા માટે હિટલરે કેટલી ખાનાખરાબી કરી?

આપણે બીજાં કરતાં ચડિયાતા છીએ, આપણે આ અસામાન્ય છે, અલૌકિક છીએ – આમ સાબિત કરવાની, આમ અનુભવવાની જરૂર શા માટે પડે છે? શા માટે આપણે અસામાન્ય બનવું છે?

અહીં કોઈ સામાન્ય માનવી બની રહેવા તૈયાર નથી. અહીં લગભગ સૌ અસામાન્ય બની જવાની તક મેળવવા માટે ટાંપીને જ બેઠાં છે. સામાન્ય માનવી તરીકે જીવતો માનવ પણ તક મળે ત્યારે તરત જ અસામાન્યતાના ટાવર પર ચડી જવા માટે તૈયાર જ હોય છે.

હું સામાન્ય માનવી છું, હું સામાન્ય માનવી તરીકે રહેવા અને જીવવા માટે તૈયાર છું, મારે અસામાન્ય બનવાની કોઈ જરૂર નથી. મને અસામાન્ય બનવાનો કોઈ અભરખો નથી – આમ સચ્ચાઈપૂર્વક માનનાર અને સાદ્યંત તે પ્રમાણે જીવનાર માનવી ગોત્યો મળે તેમ નથી.

શ્રી જે. કૃષ્ણમૂર્તિએ બહુ મૂલ્યવાન વિધાન કર્યું છે:
ઝજ્ઞ હશદય હશસય ફક્ષ જ્ઞમિશક્ષફિુ ાયતિજ્ઞક્ષ શત ફક્ષ યડ્ઢિિંફ-જ્ઞમિશક્ષફિુ વિંશક્ષલ.
“સામાન્ય માનવીની જેમ જીવવું તે એક અસામાન્ય ઘટના છે.
જેઓ અંદરથી પરિતૃપ્ત હોય તેઓ જ સાદ્યંત સામાન્ય માનવી બની રહેવાનું સ્વીકારી શકે છે, બીજાનું આટલું ગજું નહીં.
આ જ વાત આપણા જ્ઞાનેશ્ર્વર મહારાજ પણ કહે છે:

“લોકો સાથેના વ્યવહારમાં આપણે અલૌકિકતા દાખવવી નહીં.
જ્ઞાનેશ્ર્વર મહારાજ આ સલાહ અધ્યાત્મપથના પથિકોને ઉદ્દેશીને કહે છે, પરંતુ આ સલાહ સૌને ઉદ્દેશીને આપવામાં પણ કોઈ જોખમ નથી.

જ્ઞાનેશ્ર્વર મહારાજ સાધકોને ઉદ્દેશીને કહે છે કે અધ્યાત્મયાત્રા દરમિયાન આંતરચેતનામાં અલૌકિકતા જન્મે તો પણ સામાન્ય માનવો સાથેના વ્યવહારમાં આપણે અલૌકિકતા પ્રગટ થવા દેવી નહીં. સામાન્ય લોકો સાથેના વ્યવહારમાં આપણે સામાન્ય માનવીની જેમ વર્તવું. આપણે બીજાથી ચડિયાતા છીએ, આપણે હવે અસામાન્ય બની ગયા તેવો મનોભાવ ધારણ કરવો નહીં. આંતરજીવનમાં અલૌકિક તત્ત્વ જન્મે અને વિકસે તો પણ આપણે લોકો સાથે તો અલૌકિકતા પ્રગટ કરવી નહીં. સોળ વર્ષનો એક બાળક કેટલા મોટા ગજાની વાત કરે છે!

જાણ્યે કે અજાણ્યે આપણે સૈ અસામાન્ય કે અલૌકિક બનવા, દેખાવા કે અનુભવવા માટે ધમપછાડા મારી રહ્યા છીએ. આ ધમપછાડાને કારણે આ પૃથ્વી પર કેટલા ઉપદ્રવો ઊભા થઈ રહ્યા છે, તેનો હિસાબ માંડી શકાય તેમ નથી. અરે! આ ધમપછાડાને કારણે આપણે કેટલા દુ:ખી અને રુગ્ણ બની ગયા છીએ, તેનો હિસાબ પણ માંડી શકાય તેમ નથી.

તો હવે આપણી પાસે લાખ રૂપિયાનો એક પ્રશ્ર્ન છે – આ અસામાન્ય બનવાના ધમપછાડા શા માટે? આપણે બીજા કરતાં કાંઈ વિશિષ્ટ કે ચડિયાતા થવું જ શા માટે? આપણને સામાન્ય લોકોથી કોઈ જુદાં અર્થાત્ અલૌકિક બનવાની જરૂર શા માટે પડી છે?

માનવી એક અધૂરપની લાગણીથી પીડાય છે, માનવી એક આંતરિક અભાવ અનુભવે છે, એક ખાલીપાની લાગણી અનુભવે છે. જીવનમાં કાંઈક ખૂટ છે તેવી લાગણી (sense of incompleteness) માનવના મનને કોરી ખાય છે.

આ અભાવગ્રંથિમાંથી મુક્ત થવા માટે માનવી પ્રયત્ન કરે છે. હું ઊતરતો છું, નિમ્ન કોટિનો છું, મારામાં કાંઈક ખૂટે છે – આ બધા અભાવગ્રંથિના સ્વરૂપો છે. આ લઘુત્વની ભાવનામાંથી છુટકારો મેળવવા માટે, તેની પૂર્તિ માટે આપણામાં અસામાન્ય બનવાનો ધખારો પેદા થાય છે. આમ અસામાન્યતા કે અલૌકિકતાની ઝંખના પેલી ચાંડાલી અભાવગ્રંથિમાંથી મુક્ત થવા માટેની એક પૂરક પ્રવૃત્તિ છે. જ્યાં ખાલીપાની વેદના છે, ત્યાં ખાલીપાને ભરવા માટેના ધમપછાડા છે અને અસામાન્ય બનવાના ધમપછાડા આ ખાલીપામાંથી મુક્ત થવાના ધમપછાડા જ છે, પણ પ્રશ્ર્ન એ છે કે આ અસામાન્ય બનવાના ધમપછાડા દ્વારા ખાલીપાની લાગણી કે અભાવગ્રંથિમાંથી મુક્તિ મળી શકે? કદી ન મળે, કોઈ કાળે ન મળે, કારણ કે અંદરનો ખાલીપો બહારની અસામાન્યતા દ્વારા જ ભરી શકાય. ખાલી જગ્યા જે સ્થાન પર હોય તે સ્થાન પર જ તેની પૂર્તિ થઈ શકે. ખાડો ઓરડામાં હોય અને માટી ખેતરમાં નાખીએ તો ઓરડાનો ખાડો પૂરી શકાય? અભાવની લાગણી ચિત્તમાં છે અને આપણા અસામાન્ય બનવાના ધમપછાડા બહાર છે. અંદરનો ખાડો બહારના ધમપછાડાથી ભરાય કેવી રીતે?

તો ઉપાય શો છે?
આપણે સમજી લઈએ કે આ અસામાન્ય કે અલૌકિક બનવાના ધમપછાડા ખોટી દિશામાં અને ખોટી રીતે મારેલા ફાંફા છે અને તેનાથી જીવનમાં કોઈ હેતુ સિદ્ધ થઈ શકે તેમ નથી. અસામાન્ય બનવાના ધમપછાડાની નિરર્થકતા સમજી લઈએ – આ તેમાંથી મુક્ત થવાનું પ્રથમ સોપાન છે.

તો પછી આ અભાવગ્રંથિમાંથી મુક્તિનો ઉપાય શો છે? તેનો કોઈ ઉપાય નથી, કારણ કે અભાવ કાલ્પનિક છે, વાસ્તવિક નથી. જે સમસ્યા જ કાલ્પનિક છે તેમાંથી મુક્ત થવાનો ઉપાય શો? આપણે એટલું જ સમજી લેવાની જરૂર છે કે હું આત્મા છું; આત્મા પૂર્ણ છે અને પૂર્ણને વસ્તુત: કોઈ અભાવ હોઈ જ ન શકે.

આત્માનો અનુભવ તે પૂર્ણતાનો અનુભવ છે અને આ પૂર્ણતાનો અનુભવ જ અભાવના વિસર્જનનો એકમાત્ર ઉપાય છે. અંધકારના વિસર્જન માટે પ્રકાશના પ્રાગટ્ય સિવાય કોઈ ઉપાય હોઈ શકે?
આંતરચેતનામાં આત્મપ્રાપ્તિની અલૌકિક ઘટના ઘટે પછી પણ જ્ઞાનેશ્ર્વર મહાજન તો એમ જ કહે છે:

આધ્યાત્મિક તળ પર આવી પરમ અલૌકિક ઘટના ઘટી હોય તો પણ લોકો સાથેના વ્યવહારમાં લૌકિક રહેવું, તે સાચી અલૌકિકતા છે. સાચી અલૌકિકતાનું આ જ પારખું છે કે તેને હવે અલૌકિક દેખાવાનો, અલૌકિક સિદ્ધ થવાનો ધખારો મટી ગયો છે. આંતરચેતનામાં પરમ ચૈતન્ય પ્રગટ્યું હોય તો પણ સામાન્ય માનવીની જેમ જીવવું તે જ સાચી અસામાન્યતા છે, એક અસાધારણ ઘટના છે. અંદરથી અસામાન્ય બન્યા છતાં બહાર અસામાન્ય બનવાની વૃત્તિ આટોપાઈ જાય તે સાચી અસામાન્યતાની સુવર્ણ કસોટી છે. આ રહસ્ય આત્મસાત્ કરીને આ સોળ વર્ષના બાળક જ્ઞાનેશ્ર્વર – જ્ઞાનીઓના રાજા કહે છે:
બળજ્ઞઇંળયિ અળક્ષઞ ણવ્રમજ્ઞ અબળેરુઇંઇં

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભીંડાનું પાણી પીવાના ફાયદા ચહેરા પરની ચરબી ઓછી કરવી છે? સરસ મજાના મોન્સૂનના દિવસો ચાલી રહ્યા છે, મુંબઈ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે…