ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

કેનેડામાં મોટી ઉથલપાથલ: આ કારણસર સ્પીકરને આપવું પડ્યું રાજીનામું

ઓટ્ટાવાઃ કેનેડાની સંસદમાં પૂર્વ નાઝી સૈનિકને આમંત્રિત કરીને તેને સન્માનિત કરીને વિવાદમાં ઘેરાયેલા સ્પીકર એન્થની રોટાએ આખરે રાજીનામું આપ્યું છે. કેનેડાના હાઉસ ઓફ કોમન્સના સ્પીકર એન્થની રોટાએ શરૂઆતમાં રાજીનામું આપવાનો પ્રતિકાર કર્યો હતો, પરંતુ બાદમાં મંગળવારે ઓટ્ટાવામાં પાર્ટીના નેતાઓ સાથે બેઠક કર્યા બાદ તેમણે રાજીનામું આપ્યું હતું.

ભારત વિરુદ્ધના વાહિયાત નિવેદનો બાદ કેનેડા વિવાદમાં છે. એવામાં સત્તાધારી પાર્ટીએ નાઝી સૈનિકને આમંત્રિત કરીને સાંસદોનો રોષ વહોરી લીધો હતો. કેનેડાની સંસદના નીચલા ગૃહના સ્પીકર એન્થની રોટાની તાજેતરમાં નાઝીઓ સાથે સંબંધો સંબંધ ધરાવતા એક યુક્રેનિયન સૈનિકને સંસદમાં આમંત્રિત કરીને તેને સન્માનિત કરવા બદલ ટીકા કરવામાં આવી હતી. આ પછી તેમણે રાજીનામું આપી દીધું હતું. કેનેડાના હાઉસ ઓફ કોમન્સના નીચલા ગૃહના સ્પીકર રોટાએ ધારાસભ્યોને તેમના રાજીનામાની જાહેરાત કરી હતી.


હાઉસ સ્પીકર રોટાએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી યુનિટમાં સેવા આપનાર 98 વર્ષીય ભૂતપૂર્વ સૈનિકની જાહેરમાં પ્રશંસા કર્યા પછી પદ છોડ્યું છે. એન્થોની રોટાએ નાઝી યુદ્ધ પીઢ યારોસ્લાવ હુન્કાને કેનેડિયન સંસદમાં આમંત્રિત કર્યા હતા અને તેને યુદ્ધ નાયક તરીકે રજૂ કર્યા હતા.


કેનેડિયન મીડિયાએ એન્થોની રોટાને મંતવ્યોને ટાંકીને કહ્યું હતું કે, ‘આ ગૃહ આપણામાંથી કોઈ પણ ઉપર છે, તેથી મારે સ્પીકર પદ પરથી હટી જવું જોઈએ. તેમણે હાઉસ ઓફ કોમન્સના સ્પીકર પદેથી રાજીનામું આપવાના નિર્ણયની જાહેરાત કર્યા પછી કહ્યું હતું કે હુન્કાએ જે કર્યું હતું તેનાથી યહૂદી લોકો અને નાઝી અત્યાચારોમાંથી બચી ગયેલા અન્ય લોકો સહિત ઘણા લોકો અને સમુદાયોને દુઃખ થયું હતું.


એન્થની રોટાએ કેનેડા અને સમગ્ર વિશ્વમાં યહૂદી સમુદાયોની માફી માંગી હતી. હુન્કા યુક્રેનિયન-કેનેડિયન ભૂતપૂર્વ સૈનિક છે. તેને આ અઠવાડિયે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીની કેનેડાની મુલાકાત દરમિયાન કેનેડિયન સંસદમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો પણ નાઝી વિભાગના અનુભવી હુન્કાને મળ્યા હતા અને તેમનું સન્માન કર્યું હતું.


કેટલાક માનવાધિકાર અને યહૂદી સંગઠનોએ રોટાના નિર્ણયની નિંદા કરતા કહ્યું કે હુન્કાએ નાઝી લશ્કરી એકમમાં સેવા આપી હતી જે એસએસના 14મા વેફેન ગ્રેનેડીયર વિભાગ તરીકે ઓળખાય છે. લાખો યહુદીઓનો નરસંહાર કરનાર હિટલરના નાઝી સૈન્યના અત્યાચારોથી દુનિયા વાકેફ છે.


જોકે, રોટાએ પૂર્વ નાઝી સૈનિકના વખાણ કર્યા બાદ માફી માંગી હતી. રોટાએ સોમવારે હાઉસ ઓફ કોમન્સમાં સ્પષ્ટતા કરી હતી કે તેમને હુન્કા નાઝી વિભાગના પૂર્વ સૈનિક હોવા વિશે પછીથી ખબર પડી હતી. ‘આ વ્યક્તિને ઓળખવાના મારા નિર્ણય પર મને પસ્તાવો થાય છે. હું ગૃહની માફી માંગવા માંગુ છું.’ રોટાએ કહ્યું હતું કે, ‘હું ખૂબ જ દિલગીર છું કે મેં મારા કાર્યો અને ટિપ્પણીઓથી ઘણા લોકોને દુઃખ પહોંચાડ્યું છે.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ