ગુજરાતમાં Chandipura virusના કુલ 148 શંકાસ્પદ કેસ, 61 ના મોત

અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના(Chandipura virus)શંકાસ્પદ કેસ 148 થયા છે. અને સૌથી વધુ સાબરકાંઠામાં 15 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ કેસ પૈકી 56 કેસ હાલ પોઝિટિવ છે. ચાંદીપુરા વાયરસના કારણે 61 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે હોસ્પિટલમાં 27 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં નવા 8 કેસ નોંધાયા છે.
સાબરકાંઠા સૌથી વધુ કેસ
આ કેસો પૈકી સાબરકાંઠા-15, અરવલ્લી-સાત, મહીસાગર-ત્રણ, ખેડા-સાત, મહેસાણા-નવ, રાજકોટ-સાત, સુરેન્દ્રનગર-પાંચ, અમદાવાદ કોર્પેરેશન-12, ગાંધીનગર-આઠ, પંચમહાલ-16, જામનગર-છ, મોરબી-છ, ગાંધીનગર કોર્પેરેશન-ત્રણ, છોટાઉદેપુર-બે, દાહોદ-ચાર, વડોદરા-સાત, નર્મદા-બે, બનાસકાંઠા-છ, વડોદરા કોર્પોરેશન-બે, ભાવનગર અને દેવભૂમિ દ્વારકા-એક-એક, રાજકોટ કોર્પેરેશન-ચાર, કચ્છ-ચાર, સુરત કોર્પોરેશન-બે, ભરૂચ-ત્રણ, અમદાવાદ-બે, જામનગર કોર્પોરેશન, પોરબંદર, પાટણ તેમજ ગીર સોમનાથ એક-એક શંકાસ્પદ કેસો મળી આવ્યા છે.
રાજ્યમાં કુલ 46,222 ઘરોમાં સર્વિલન્સની કામગીરી
આરોગ્યની ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ મળેલ દર્દીના ઘર અને આસપાસનાં વિસ્તારના કુલ 46,222 ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત કુલ 7,09,226 કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કામગીરી કરવામાં આવી છે. તેમજ કુલ 1,49,098 કાચા ઘરોમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવી છે. કુલ 28,477 શાળામાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 6,467 શાળામાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે. કુલ 33,392 આંગડવાડીમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 6,537 આંગડવાડીમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે.