આપણું ગુજરાત

ગુજરાતમાં Chandipura Virusના નવા ત્રણ કેસ નોંધાયા, કુલ શંકાસ્પદ કેસ 137એ પહોંચ્યા

અમદાવાદ. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના(Chandipura Virus)ત્રણ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 51 થઈ ગઈ છે. જો કે મંગળવારે આ વાયરસને કારણે એક પણ મૃત્યુ થયું નથી. આ અગાઉ સોમવાર સુધીમાં 56 દર્દીઓના મોત થયા હતા.રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ચાર શંકાસ્પદ દર્દીઓ સહિત અત્યાર સુધીમાં કુલ 137 કેસ નોંધાયા છે.

45 હજારથી વધુ ઘરોમાં ઘરોમાં સર્વે

આ પોઝિટિવ દર્દીઓમાંથી સૌથી વધુ સાત પંચમહાલ જિલ્લામાં કન્ફર્મ થયા છે. આ ઉપરાંત સાબરકાંઠામાં છ, મહેસાણામાં પાંચ, અમદાવાદ, ખેડા અને રાજકોટમાં ચાર-ચાર, સુરેન્દ્રનગર, અરવલ્લીમાં ત્રણ-ત્રણ, દાહોદ અને કચ્છમાં બે-બે, મહિસાગર, ગાંધીનગર, જામનગર, મોરબી, વડોદરા, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, સુરત અને ભરૂચમાં 29 ચાંદીપુરા વાયરસના દર્દીઓ રાજ્યની વિવિધ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે 52ને રજા આપવામાં આવી છે. ચાંદીપુરા અને આસપાસના વિસ્તારોના 45 હજારથી વધુ ઘરોમાં ઘરોમાં સર્વે કરવામાં આવ્યો છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button