મનોરંજન

Rajnikanth સાથે ફિલ્મ કરીને મારી જિંદગી… બોલીવૂડ એક્ટરનો ચોંકાવનારો દાવો!

સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર, થલાઈવા રજનીકાંત (South Indian Super Star Rajnikanth) ખાસ કોઈ પરિચયના મોહતાજ નથી. રજનીકાંતની ફેનફોલોઈંગ એકદમ તગડી છે અને તેમણે પોતાની ફિલ્મી કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી સુપરહિટ ફિલ્મો આપી છે. પરંતુ હાલમાં બોલીવૂડના એક એક્ટરે રજનીકાંત સાથે કામ કરવાના પોતાના એક્સપિરિયન્સ શેર કર્યો હતો.

બોલીવૂડના અન્ના, અભિનેતા સુનિલ શેટ્ટી (Bollywood Actor Suniel Shetty) એક અભિનેતા હોવાની સાથે સાથે પ્રોડ્યુસર પણ છે. અન્નાએ પોતાના અત્યાર સુધીના ફિલ્મી કરિયરમાં અનેક સુપરહિટ ફિલ્મો પણ આપી છે. માત્ર હિંદી જ સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ સુનિલ શેટ્ટીનું નોંધપાત્ર યોગદાન છે.

પરંતુ હાલમાં અન્ના એટલે કે સુનિલ શેટ્ટીએ સાઉથના સુપર સ્ટાર રજનીકાંત સાથેનો પોતાનો કામ કરવાનો અનુભવ શેર કર્યો હતો, એટલું જ નહીં અન્નાએ તો ત્યાં સુધી કહી દીધું રજનીકાંત સાથે ફિલ્મો કરીને તેમના જીવનમાં અનેક બદલાવો આવ્યા છે. આવો જોઈએ બીજું શું કહ્યું અન્નાએ-

સુનિલ શેટ્ટી થોડાક સમય પહેલાં જ ચેન્નઈમાં એક ઈવેન્ટમાં હાજરી આપવા પહોંચ્યા હતા અને આ ઈવેન્ટમાં જ તેમણે જણાવ્યું હતું કે મને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 35 વર્ષ થઈ ગયા છે અને હું ઈન્ડસ્ટ્રીનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું. ચેન્નઈ હંમેશાથી જ ફિલ્મો, સ્પોર્ટ્સ અને પોલિટિક્સને સેલિબ્રેટ કરે છે. મેં કોઈ બીજા રાજ્યને ત્રણેય વસ્તુને આટલી સારી રીતે પ્રોત્સાહન આપવા નથી જોયા.

આ પણ વાંચો: હોલીવુડના આ 5 અભિનેતા છે ઈન્ડિયન ફૂડના દિવાના, આ અભિનેતાએ તો જમવા પાછળ 48 લાખ ખર્ચ્યા!

અત્રે ઉલ્લેખનીય છે કે સુનિલ અને ચેન્નઈનો ખૂબ જ જૂનો સંબંધ છે. તેમણે તમિળ ફિલ્મ 12બીમાં કામ કર્યું હતું. આ સિવાય તેમણે થલાઈવા રજનીકાંત સાથે ફિલ્મ દરબાર (Movie Darbaar)માં પણ કામ કર્યું હતું. સુનિલ શેટ્ટીએ ફિલ્મમાં રજનીકાંત સાથેનો એક્સપિરીયન્સ કેવો રહ્યો એના વિશે પણ વાત કરી હતી.

અન્નાએ આગળ જણાવ્યું હતું કે હું ક્યારેય નેગેટિવ રોલ નહોતો કરવા માંગતો, પણ દરબારમાં મેં નેગેટિવ રોલ કર્યો, કારણ કે આને કારણે મને રજનીકાંત સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો. તેમની સાથે સમય પસાર કરીને મારી જિંદગી બદલાઈ ગઈ. એક માણસ તરીકે પણ મારા જીવનમાં અનેક પરિવર્તન આવ્યા છે.

સેટ પર તેઓ બધા સાથે જ વાત કરતાં હતા. રિયલ લાઈફમાં તેઓ સિમ્પલ અને હમ્બલ છે, પણ કેમેરા સામે તેઓ એક પરફેક્ટ એક્શન હીરો બની જતા હતા. તેમની સાથે પસાર કરેલો સમય મારા માટે સ્પેશિયલ ટાઈમમાંથી એક છે.

વાત કરીએ અન્નાના ફિલ્મી કરિયરની તો સુનિલ શેટ્ટીએ દરબાર સિવાય પણ અનેક તમિળ ફિલ્મોમાં કામ કર્યું છે. ટૂંક સમયમાં જ તેઓ અક્ષય કુમાર સાથે વેલકમ ટુ ધ જંગલ ફિલ્મમાં પણ જોવા મળશે. હેરાફેરી-થ્રી પણ પાઈપલાઈમાં છે. ફિલ્મની એનાઉન્સમેન્ટ અને ટીઝરનો વીડિયો શૂટ પણ થયું હતું જેના ફોટો સામે આવ્યા હતા, પણ હજી ફિલ્મને લઈને કોઈ અપડેટ સામે નથી આવી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…