ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં?
જો આ સવાલનો જવાબ હામાં છે તો તમારે આ સ્ટોરી ચોક્કસ છેલ્લે સુધી વાંચવી પડશે
તમે ઘણી વખત સાંભળ્યું હશે કે મેથીના દાણા ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે
આ દાણામાં જોવા મળતું ફાયબર લોહીમાં વધી રહેલા શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે
હવે ઘણા લોકો કોઈની સલાહ સાંભળીને કે વાંચીને મેથીના દાણા ખાવાનું શરૂ તો કરે છે
પરંતુ ખોટી રીતે તેનું સેવન કરવામાં આવે તો ફાયદો થવાના બદલે નુકસાન જ થાય છે
આજે અમે અહીં તમારી આ સમસ્યા જ ઉકેલવાનો પ્રયાસ કરીશું
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે મેથીના દાણા અને મેથીના પાણી બંનેનું સેવન કરવું ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક છે
આ સિવાય ડાયાબિટીસના દર્દીઓ પરાઠા, રોટલી કે શાકમાં નાખીને પણ આ મેથીના દાણાનું સેવન કરવું જોઈએ
રાતના સમયે મેથીના દાણા પાણીમાં પલાળીને સવારે આ મેથીના દાણા પાણી સાથે ખાલી પેટે ખાવા જોઈએ
આ રીતે મેથીના દાણાનું સેવન કરવાથી બ્લડ શુગર તો કંટ્રોલમાં રહે જ છે પણ એની સાથે સાથે ડા
યાબિટીસ થવાનું જોખમ પણ ઘટે છે