ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

તમારા સંતાનોને કેનેડા ભણવા મોકલતા પહેલા ભારત સરકારનો ચોંકાવનારો રિપોર્ટ વાંચો 

ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં વિદેશમાં અભ્યાસ કરવા ગયેલા 633 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. આ વિદ્યાર્થીઓના મોત પાછળ અલગ-અલગ કારણો હતા. કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે શુક્રવારે લોકસભામાં આ આંકડા રજૂ કર્યા હતા. જો આંકડાઓનું માનીએ તો આમાંથી ઘણા વિદ્યાર્થીઓએ જાતિય ભેદભાવ અને વંશીય ભેદભાવને કારણે જીવ ગુમાવ્યો છે. અને ખાસ વાત તો એ છે કે કેનેડામાં સૌથી વધુ સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે:

વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર, કેનેડામાં સૌથી વધુ 172 ભારતીય વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે. તે પછી અમેરિકામાં 108 અને યુકેમાં 58 વિદ્યાર્થીઓના મોત થયા છે. જ્યારે ઓસ્ટ્રેલિયામાં 57 અને રશિયામાં 37 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે.

આ ઉપરાંત યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા, એ દરમિયાન 18 વિદ્યાર્થીઓએ ત્યાં જીવ ગુમાવ્યો હતો, જર્મનીમાં 24 અને જ્યોર્જિયા, કિર્ગિસ્તાન અને સાયપ્રસમાં 12 ભારતીય વિદ્યાર્થીના મોત થયા હતા.
કેનેડામાં હુમલામાં સૌથી વધુ વિદ્યાર્થીઓના મોત રાજ્ય મંત્રી સિંહે કહ્યું કે આ વર્ષે 19 ભારતીય વિદ્યાર્થીઓ હુમલામાં મૃત્યુ પામ્યા. આ મામલે પણ કેનેડા ટોચ પર છે, આ દેશમાં 9 ભારતીયો પર હુમલો કરીને હત્યા કરવામાં આવી છે, જ્યારે અમેરિકામાં પણ 6 ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલો કરીને હત્યા કરવામાં આવી છે.

આ પણ વાંચો : ટ્રમ્પ પર હુમલા બાદ કેનેડાના વડાપ્રધાનને એક સાંસદની સલાહ “આવનાર સમયમાં કેનેડામાં પણ થશે આવા હુમલાઓ.

વિદેશ મંત્રાલય પાસેથી મળેલી માહિતી અનુસાર મૃત્યુ પામેલા તમામ 633 વિદ્યાર્થીઓના મોતના કારણો અલગ-અલગ છે. અમારું સૌથી મોટું કાર્ય વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓને મહત્તમ સુરક્ષા પ્રદાન કરવાનું છે અને અમે તેના માટે પૂરા દિલથી કામ કરી રહ્યા છીએ, એમ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.

એક પ્રશ્નના જવાબમાં સિંહે કહ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં 48 વિદ્યાર્થીઓને અમેરિકાથી ડિપોર્ટ કરીને ભારત મોકલવામાં આવ્યા છે. અમેરિકન એજન્સીઓએ આ વિદ્યાર્થીઓ વિશે કોઈ સત્તાવાર ડેટા શેર કર્યો નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…