![President Droupadi Murmu NEET NET scam guilt punished](https://bombaysamachar.com/wp-content/uploads/2024/06/Droupadi-Murmu.webp)
નવી દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે પંજાબ અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ સાથે તેમણે અન્ય રાજ્યોમાં રાજ્યપાલોની(Governer)નવી નિમણૂકોની પણ જાહેરાત કરી હતી.
આ રાજ્યોને નવા ગવર્નરો મળ્યા
-હરિભાઉ કિસનરાવ બાગડેને રાજસ્થાનના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
-જિષ્ણુ દેવ વર્માને તેલંગાણાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
-ઓમ પ્રકાશ માથુરને સિક્કિમના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
-સંતોષ કુમાર ગંગવારને ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
-રામેન ડેકાને છત્તીસગઢના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
-સીએચ વિજયશંકરને મેઘાલયના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
-સીપી રાધાકૃષ્ણનને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
-ગુલાબચંદ કટારિયાને પંજાબ અને ચંદીગઢના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
-લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા, મણિપુરના રાજ્યપાલનો વધારાનો હવાલો
આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએપંજાબ અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતનું રાજીનામું સ્વીકારી લીધું છે.તેમના પત્રમાં પુરોહિતે કહ્યું હતું કે, “વ્યક્તિગત કારણો અને કેટલીક અન્ય પ્રતિબદ્ધતાઓને લીધે, હું ચંદીગઢના કેન્દ્રશાસિત પ્રદેશના રાજ્યપાલ અને પ્રશાસકના પદ પરથી મારું રાજીનામું આપી રહ્યો છું. કૃપા કરીને સ્વીકારો