ટોપ ન્યૂઝનેશનલ

Kargil Vijay Diwas: પીએમ મોદી લદ્દાખમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપશે, શહીદોની પત્નીઓ સાથે પણ વાત કરશે

નવી દિલ્હી : ભારત 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની(Kargil Vijay Diwas) રજત જયંતિ ઉજવી રહ્યું છે. 25 વર્ષ પહેલા આ દિવસે ભારતીય સેનાએ પોતાની બહાદુરી અને હિંમતથી ભારતમાં ઘૂસેલા પાકિસ્તાની સેના અને તેના ઘૂસણખોરોને ભગાડી દીધા હતા. આ અવસર પર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ શુક્રવારે લદ્દાખમાં કારગિલ યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. આ સિવાય પીએમ મોદી કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોની પત્નીઓ સાથે પણ વાત કરશે.

શું કહ્યું પીએમ મોદીએ?

પીએમ મોદીએ કારગિલ વિજય દિવસને લઈને સંદેશ પણ આપ્યો છે. પીએમ મોદીએ લખ્યું છે કે 26 જુલાઈ દરેક ભારતીય માટે ખૂબ જ ખાસ દિવસ છે. આ વખતે આપણે 25મો કારગિલ વિજય દિવસ ઉજવીશું. પીએમ મોદીએ કહ્યું કે આ દિવસ આપણા દેશની રક્ષા કરનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો છે. પીએમ મોદીએ કહ્યું કે હું કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લઈશ અને આપણા બહાદુર વીરોને શ્રદ્ધાંજલિ આપીશ.

| Also Read: Kargil Vijay Diwas@25: આ રીતે પાકિસ્તાનને ધૂળ ચાટતા કરી દીધા હતા આપણા વીરજવાનોએ

વિશ્વની સૌથી ઊંચી ટનલના કામનું ઉદ્ઘાટન

પીએમ મોદીએ માહિતી આપી છે કે તેમની લદ્દાખ મુલાકાત દરમિયાન શિંકુન લા ટનલ પ્રોજેક્ટના કામનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ટનલ પ્રોજેક્ટ લેહ સાથે કનેક્ટિવિટી સુધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. તે લેહમાં ઓલ-વેધર કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શિંકુન લા વિશ્વની સૌથી ઊંચી ટનલ હશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?