નેશનલ

રાષ્ટ્રપતિ ભવનના ‘દરબાર હોલ’ અને ‘અશોક હોલ’ના નામ બદલાયા, પ્રિયંકા ગાધીએ કહ્યું…..

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનના પ્રતિષ્ઠિત ‘દરબાર હોલ’ અને ‘અશોક હોલ’ના નામ ગુરુવારે બદલીને અનુક્રમે ‘ગણતંત્ર મંડપ’ અને ‘અશોક મંડપ’ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નામ બદલવા પર ખુશી વ્યક્ત કરી છે. ગુરુવારે (24 જુલાઈ) રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં આ માહિતી આપવામાં આવી છે. તાજેતરના સમયમાં ઘણી મોટી ઇમારતો અને રસ્તાઓના નામ પણ બદલવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ ભવને એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિ ભવન, ભારતના રાષ્ટ્રપતિનું કાર્યાલય અને નિવાસસ્થાન, રાષ્ટ્રનું પ્રતીક અને લોકોની અમૂલ્ય ધરોહર છે. તેને લોકો માટે વધુ સુલભ બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

‘દરબાર હોલ’માં રાષ્ટ્રીય પુરસ્કારોની રજૂઆત જેવા મહત્વના સમારંભો અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દરબાર શબ્દ ભારતીય શાસકો અને અંગ્રેજોની અદાલતો અને મેળાવડા સાથે સંકળાયેલો છે, જ્યાં તેઓ તેમના કાર્યોનું આયોજન કરતા હતા. અખબારી યાદીમાં કહેવામાં આવ્યું હતું કે ભારત પ્રજાસત્તાક બન્યા પછી તેની પ્રાસંગિકતા ગુમાવી દીધી છે. તેથી હવે તેનું ‘ગણતંત્ર મંડપ’ નામ એકદમ યોગ્ય છે. આ એ જ હોલ છે જ્યાં, ભારતની આઝાદી પછી, સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારે 15 ઓગસ્ટ 1947ના રોજ પંડિત જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં શપથ લીધા હતા.

આ પણ વાંચો : ‘હવે મોટા મગરમચ્છ પકડાશે..’ રાજસ્થાનમાં પેપર લીકના પુરાવા સાથે વિધાનસભ્ય SOG ઓફિસ પહોંચ્યા

નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે “અશોક હોલ” મૂળ રૂપે એક બોલરૂમ હતો. ‘અશોક’ શબ્દનો અર્થ એવો થાય છે કે જે ‘સર્વ દુ:ખથી મુક્ત’ અથવા ‘કોઈપણ દુ:ખથી મુક્ત’ છે. ઉપરાંત, ‘અશોક’ એ સમ્રાટ અશોકનો ઉલ્લેખ કરે છે, જે એકતા અને શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વનું પ્રતીક છે. ‘અશોક હોલ’નું નામ બદલીને ‘અશોક મંડપ’ કરવાથી ભાષામાં એકરૂપતા આવશે

જોકે, ભાજપ દ્વારા નામ બદલવામાં આવે અને વિપક્ષોનો વિવાદ ના થાય તો જ નવાઇ. હવે રાષ્ટ્રપતિ ભવનના બે હૉલના નામ બદલવા અંગે પણ કૉંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું અને જણાવ્યું હતું કે, દરબારના કોન્સેપ્ટનો તો કોઈ ખ્યાલ નથી, પરંતુ ‘શહેનશાહ’ના કોન્સેપ્ટનો ખ્યાલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?