નેશનલ

NEET UG એક્ઝામ ફરીથી લેવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે NEET UGની રિએક્ઝામ માટે આદેશ આપવાનો ઈનકાર કર્યો હતો. જોકે પેપર હઝારીબાગ અને પટણામાં લીક થયું હોવાનું એસસીએ સ્વીકાર્યું હતું.

કોર્ટે તેના આદેશમાં કહ્યું કે NEET UG પરીક્ષા ફરીથી લેવામાં આવશે નહીં. સીજેઆઈએ કહ્યું કે સીબીઆઈની તપાસ અધૂરી છે, તેથી અમે એનટીએને કહ્યું છે કે મોટા પાયે ગેરરીતિઓ થઈ છે કે નહીં, તે મામલે સ્પષ્ટતા કરે. કેન્દ્ર અને NTAએ તેમના જવાબમાં IIT મદ્રાસના રિપોર્ટને ટાંક્યો છે. ચીફ જસ્ટિસે વધુમાં જણાવ્યું હતું કે અમારી સમક્ષ રજૂ કરવામાં આવેલી સામગ્રી અને ડેટાના આધારે પ્રશ્નપત્રો વ્યવસ્થિત રીતે લીક થવાના કોઈ સંકેત નથી. આ સાથે SCએ NEETની પુનઃ પરીક્ષા લેવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે તેની સમક્ષ રજૂ કરવામાં આવેલા તથ્યોને ધ્યાનમાં રાખતા ફરીથી પરીક્ષા યોજવી યોગ્ય નથી.
કલંકિત વિદ્યાર્થીઓને અલગ કરી શકાય છે

CJIએ કહ્યું કે કલંકિત વિદ્યાર્થીઓને બાકીના વિદ્યાર્થીઓથી અલગ કરી શકાય છે. જો તપાસમાં લાભાર્થીઓની સંખ્યામાં વધારો જણાશે, તો કાઉન્સેલિંગ પ્રક્રિયા પૂર્ણ થયા પછી પણ કોઈપણ તબક્કે આવા કોઈપણ વિદ્યાર્થી સામે પગલાં લેવામાં આવશે. કોઈપણ વિદ્યાર્થી કે જે આ છેતરપિંડીમાં સંડોવાયેલો અથવા લાભાર્થી જોવા મળે છે તેને પ્રવેશ મેળવવાનો અધિકાર રહેશે નહીં. સીબીઆઈની તપાસ મુજબ પેપર લીક થવાના કારણે ગેરરીતિનો લાભ મેળવનારા 155 વિદ્યાર્થીઓ છે.

આ પણ વાંચો : વિવાદ ગોધરામાં અને NEET UG પરીક્ષામાં ઝળક્યું રાજકોટ ! રાષ્ટ્રીય સ્તરે ચર્ચા

CJIએ વધુમાં કહ્યું કે કોર્ટને લાગે છે કે આ વર્ષે NEET UG પરીક્ષા નવેસરથી આયોજિત કરવાનો નિર્દેશ ગંભીર પરિણામો લાવી શકે છે. આમ કરીશું તો આ પરીક્ષા અને પ્રવેશ કાર્યક્રમમાં હાજર રહેલા 24 લાખથી વધુ વિદ્યાર્થીઓએ તકલીફો ભોગવવી પડશે. આનાથી શિક્ષણ ક્ષેત્રે વિક્ષેપ પડશે, તબીબી શિક્ષણના અભ્યાસક્રમ પર અસર પડશે, ભવિષ્યમાં લાયકાત ધરાવતા ડોકટરોની ઉપલબ્ધતા પર અસર પડશે અને સીટોની ફાળવણીમાં જેમના માટે અનામત રાખવામાં આવી છે તે વંચિત જૂથ માટે ગંભીર રીતે નુકસાન થશે.

તેના આદેશમાં, કોર્ટે નવા અને જૂના અભ્યાસક્રમના આધારે બે જવાબોને સાચા ગણીને જે પ્રશ્ન માટે માર્કસ આપવામાં આવ્યા હતા તે પ્રશ્ન અંગેની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. કોર્ટે કહ્યું કે IIT રિપોર્ટે સ્વીકાર્યું છે કે વિકલ્પ નંબર 4 સાચો છે, અમે IIT રિપોર્ટ સ્વીકારીએ છીએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…