ગાંધીનગર

IAS અધિકારીની પત્નીનો ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ: સારવાર દરમિયાન નીપજ્યું મોત

ગાંધીનગર: ગાંધીનગરના સેક્ટર-19 માં રહેતા વરિષ્ટ IAS અધિકારી રણજીતકુમારની પત્નિએ ગઇકાલે ઝેરી દવા પી લેતા ભારે ચકચાર મચ્યો હતો. આ બાદ તેમને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની ગંભીર હાલતને લીધે તેમને ICUમાં દાખલ કરાયા હતા. તેમનું આજે સવારના સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

ગઇકાલે ઝેરી દવા પી લીધાની ઘટનાની જાણ થયા બાદ પોલીસ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જો કે તેમની હાલત ગંભીર હોવાથી કોઇ નિવેદન લઈ શકાયું નહોતું. હાલ સૂર્યાબેનના મોત બાદ મૃતદેહને પોસ્ટમાર્ટમ કરવા સહિતની કાનૂની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં હિંસામાં Godhraના 20 વિદ્યાર્થીઓ અટવાયા, સલામત પરત લાવવા માગ

મૃતક મૂળ તમિલનાડુના વતની હોવાથી પોલીસે વતનમાં તેમના પરિજનોને બનાવથી માહિતગાર કર્યા હતા. પરિજનોના આવ્યા બાદ તેમને મૃતદેહ સોપવામાં આવશે.

IAS અધિકારી રણજિતકુમાર ગુજરાત કેડરના 2005 બેચના આઇએએસ છે. હાલ તેઓ ગુજરાત વીજ નિયમન પંચમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. ગઇકાલે તેમના પત્નીએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. જો કે તેનું મોત નિપજતા પોલીસે આ આપઘાત પાછળના કારણોની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક અંદાજ મુજબ બંને પતિ પત્ની વચ્ચે અણબનાવને લઈને આપઘાત કર્યો હોવાનું મનાઈ રહ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે