આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં Chandipura virus બેકાબૂ, 27 બાળકોનાં મોત, 71 શંકાસ્પદ કેસ નોંધાયા

અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ(Chandipura virus) બેકાબૂ બન્યો છે. જેમાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસથી કુલ 27 બાળકોનાં મોત થયા હોવાનું જાણવા મળ્યુ છે. રાજ્યમાં કુલ ચાંદીપુરા વાયરસના 71 શંકાસ્પદ કેસ પણ નોંધાયા છે. સતત વધી રહેલા કેસના કારણે આરોગ્યતંત્ર સતર્ક બન્યું છે. ચાંદીપુરા વાયરસના સૌથી વધુ 11 કેસ પંચમહાલમાં નોંધાયા છે. જ્યારે સાબરકાંઠામાં આઠ શંકાસ્પદ કેસો નોંધાયા છે. આ વાયરસના પહેલો કેસ ગુજરાતમાં ફેલાયો હતો હવે તે અન્ય રાજ્યમાં પણ ફેલાઈ રહ્યો છે.

સૌથી વધુ પંચમહાલમાં 11 શંકાસ્પદ કેસ

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ સતત વધી રહ્યા છે. અત્યાર સુધી ગુજરાતમાં વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 71 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ પંચમહાલમાં 11 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જ્યારે સાબરકાંઠામાં આઠ શંકાસ્પદ કેસો નોંધાયા છે. આ ઉપરાંત ખેડા, જામનગર અને ગાંધીનગરમાં પાંચ-પાંચ કેસ નોંધાયા છે. જ્યારે અરવલ્લી અને મહેસાણા, અમદાવાદ કોર્પોરેશન અને મોરબીમાં ચાર-ચાર કેસ નોંધાયા છે. તેમજ મહીસાગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર કોર્પોરેશન, છોટાઉદેપુર, દાહોદ, બનાસકાંઠામાં બે-બે કેસ નોંધાયા છે. અને વડોદરા, નર્મદા, વડોદરા કોર્પોરેશન ભાવનગર, દેવભૂમિ દ્વારકામાં રાજકોટ કોર્પોરેશન અને કચ્છ એક-એક શંકાસ્પદ કેસો નોંધાયા છે.

| Also Read: ગુજરાતમાં વકરતો Chandipura virus,  61 શંકાસ્પદ કેસ, 21ના મોત

ચાંદીપુરા વાયરસના કારણે 41 બાળકો સારવાર હેઠળ

ચાંદીપુરા વાયરસના કારણે 41 બાળકો સારવાર હેઠળ છે. ચાંદીપુરા વાયરસથી ત્રણ બાળકોને રજા અપાઇ દેવામાં આવી છે. આરોગ્યની ટીમની કુલ 121826 વ્યક્તિઓનું સર્વિલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. અન્ય રાજ્યોમાં હાલ મળી રહેલા આકડા મુજબ ચાંદીપુરાના રાજસ્થાનમાં બે કેસ અને મધ્ય પ્રદેશમાં એક કેસ નોંધાયા છે. ચાંદીપુરા વાયરસથી રાજસ્થાનમાં એક બાળકનું મોત થયુ છે. જ્યારે અન્ય ત્રણ બાળકોની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button