આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઈન્દ્રાણીને વિદેશ જવાની મંજૂરી સામે સીબીઆઈની હાઈકોર્ટમાં

મુંબઈ: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ પૂર્વ મીડિયા એક્ઝિક્યુટિવ ઈન્દ્રાણી મુખરજીને 2012માં તેમની પુત્રી શીના બોરાની હત્યાના આરોપમાં અને હાલમાં જામીન પર બહાર હોવાને કારણે યુરોપ જવાની પરવાનગી આપતા વિશેષ અદાલતના આદેશ સામે શનિવારે મુંબઈ હાઈ કોર્ટમાં અરજી કરી હતી.

સીબીઆઈની વિશેષ અદાલતે શુક્રવારે ઈન્દ્રાણી મુખરજીને આગામી ત્રણ મહિનાના સમયગાળામાં એક વખત 10 દિવસ માટે યુરોપ (સ્પેન અને બ્રિટન)માં પ્રવાસ કરવાની મંજૂરી આપી હતી.
હાઈકોર્ટમાં સીબીઆઈની અરજીમાં આ આદેશને કાયદાની દૃષ્ટિએ અયોગ્ય અને મનસ્વી હોવાનો દાવો કરીને તેને રદ કરવાની માગણી કરવામાં આવી હતી. એજન્સીએ કહ્યું કે મુખરજી ગંભીર કેસમાં ટ્રાયલનો સામનો કરી રહ્યા છે અને તેમની પોતાની પુત્રીની હત્યા કરવાનો આરોપ છે.

જો તેને વિદેશ પ્રવાસની પરવાનગી આપવામાં આવે તો તેઓ ભાગી જવાની સંભાવના છે એવી દલીલ સીબીઆઈની અરજીમાં કરવામાં આવી હતી. એજન્સી હાઈકોર્ટમાં અરજીની તાત્કાલિક સુનાવણી માગે તેવી શક્યતા છે.
પરવાનગી આપતી વખતે વિશેષ અદાલત દ્વારા નિર્ધારિત શરતો મુજબ મુખરજીએ તેમના પ્રવાસ દરમિયાન ઓછામાં ઓછા એક વખત ત્યાં ભારતીય દૂતાવાસ અથવા તેના સહયોગી રાજદ્વારી મિશનની ઓફિસમાં હાજરી આપવી પડશે અને હાજરી પ્રમાણપત્ર મેળવવું પડશે.

કોર્ટે મુખરજીને રૂ. 2 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
ઈન્દ્રાણીએ ગયા મહિને કોર્ટમાં અરજી કરીને વિદેશની મુલાકાત માટે મંજૂરી માંગી હતી અને દાવો કર્યો હતો કે તેને કામ માટે વારંવાર યુરોપની મુસાફરી કરવાની જરૂર છે.
મુખરજીના ભૂતપૂર્વ પતિ અને ભૂતપૂર્વ મીડિયા બેરોન પીટર મુખરજીની પણ શીના બોરાની હત્યા સાથે સંકળાયેલા કાવતરાનો ભાગ હોવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
તમામ આરોપીઓ હાલ જામીન પર બહાર છે. (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?