ટોપ ન્યૂઝનેશનલ

આસામ પોલીસે ત્રણ નિર્દોષોને મારી નાખ્યા! પરિવારોએ એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવ્યા

ગુવાહાટી: ગત બુધવારે આસામ પોલીસે એક એન્કાઉન્ટર (Assam Police encounter) માં હમાર ઉગ્રવાદી હોવાના આરોપસર ત્રણ લોકોને ઠાર કર્યા હતા. ત્રણેય મૃતકોના પરિવારજનોએ તેમના મૃત્યુના સંજોગો પર સવાલો ઉભા કર્યા છે, પરિવારજનોએ એક વીડિયો શેર કર્યો છે જેમાં એક દિવસ પહેલા કથિત રીતે આરોપીઓને ઓટોરિક્ષામાંથી પકડવામાં આવ્યા હતા.

બુધવારે આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, “વહેલી સવારની કાર્યવાહીમાં, કછાર પોલીસે આસામ અને પડોશી મણિપુરના ત્રણ હમાંર આતંકવાદીઓને ઠાર કર્યા છે. પોલીસે બે એકે રાઈફલ, બીજી રાઈફલ અને એક પિસ્તોલ પણ કબજે કરી છે.”

કછાર મણિપુરના જીરીબામ જિલ્લાની સરહદ પર આવેલું છે, જ્યાં છેલ્લા એક મહિનાથી તાણવનો માહોલ છે. હમાર સમુદાય કુકી-ઝો વંશીય જૂથનો એક ભાગ છે, જે રાજ્યમાં મેઇતેઈ લોકો સાથે સંઘર્ષમાં છે. કછારમાં પણ હમાર સમુદાયની વસ્તી છે અને જીરીબામમાંથી વિસ્થાપિત થયેલા હમારો સહિત મોટી સંખ્યામાં કુકી, ઝો લોકો હાલમાં કછારમાં આશ્રય લઈ રહ્યા છે.

બુધવારે સામે આવેલા 1 મિનિટ 18 સેકન્ડના વીડિયોમાં આ લોકો ઓટોરિક્ષામાં પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. ત્રણ લોકો – જોશુઆ, મણિપુરના ફરઝાવલ જિલ્લાના સેનવોન ગામના રહેવાસી હતો; લલ્લુંગવી હમર અને લાલબીકુંગ હમર કછાર જિલ્લાના બેથેલ ગામના રહેવાસી હતા, તેમને આસામ પોલીસે ઓટોરિક્ષામાંથી બહાર કાઢ્યા હતા.

વિડીયોમાં દેખાય છે કે પહેલા બહાર નીકળનાર લલ્લુનગાવી સીટ પર બ્રાઉન બેગ મુકે છે. બાકીના પછી બહાર આવે છે, અને પોલીસ દ્વારા તેમની તપાસ કરવામાં આવે છે. પછી એક કર્મચારી બેગ ખોલે છે અને બૂમો પાડવા લાગે છે કે તેમાં પિસ્તોલ છે, પરંતુ તે હથિયાર બહાર કાઢતો નથી.

પોલીસે દાવો કર્યો હતો કે તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને એવું બહાર આવ્યું હતું કે આતંકવાદીઓ આસામ-મણિપુર સરહદી વિસ્તારોમાં કેટલીક વિધ્વંસક પ્રવૃત્તિઓ કરવા માટે હજુ પણ હથિયારોના વિશાળ જથ્થા સાથે ભુવન હિલ્સની આસપાસ આશ્રય લઈ રહ્યા છે.

પીડિતોના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેઓ જાણતા નથી કે એ લોકો કછારમાં કેમ હતા. ફેરઝાવલમાં જોશુઆના પરિવારે જણાવ્યું કે પડોશી જીરીબામમાં હિંસા ફાટી નીકળ્યા પછી તેને “ગામ સ્વયંસેવક” બનવા માટે બોલાવવામાં આવ્યા પછી તે 10 જૂનથી ઘરેથી દૂર હતો.

પરિવાર સાથે આવેલા ગામના પાદરી રામહલુન્કિમએ કહ્યું કે તેમની સાથે જે બન્યું તે માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. અમે જોઈ શકીએ છીએ કે તેઓ ઓટોરિક્ષામાં હતા અને તેઓએ પોલીસનો બિલકુલ વિરોધ કર્યો ન હતો. અમે વીડિયોમાં તેની સાથે કોઈ હથિયાર જોઈ શકતા નથી. પોલીસકર્મી કહે છે કે બંદૂક છે, પણ બતાવતો નથી. તે (જોશુઆ) ઉગ્રવાદી નથી. તે માત્ર એક ઝુમ ખેડૂત છે જેને અમારી સર્વોચ્ચ આદિવાસી સંસ્થાએ ગામડાના સ્વયંસેવક બનવા માટે બોલાવ્યા હતા.

લાલુંગવી હમારના કાકા લાલશુંગે કહ્યું કે બંને લોકો મંગળવારે એમ કહીને કછારમાં આવેલા તેમના ગામથી નીકળી ગયા હતા કે તેઓ મિઝોરમ જવાના છે, તેઓ મજૂર તરીકે કામ કરતો હતો. વિડિયોમાં તેઓએ સાદા કપડા પહેર્યા છે. કોઈ હથિયાર દેખાતું નથી. અમને લાગે છે કે તે નકલી એન્કાઉન્ટર હતું.

નાગરિક સમાજના સંગઠનોએ તેમના મૃત્યુના સંજોગોની તપાસ કરવાની માંગ કરી છે. સ્વદેશી જનજાતિ હિમાયત સમિતિ, જીરીબામ અને ફેરઝાવલમાં હમાર સમુદાયની સર્વોચ્ચ સંસ્થા, આ ઘટનાને “માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન અને આસામ પોલીસ દળ દ્વારા સત્તાનો ખતરનાક દુરુપયોગ” ગણાવી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો