મનોરંજન

Divorceની અફવાઓ વચ્ચે Abhishek Bachchanએ Aishwarya Rai-Bachchanને લઈને કર્યો આ ખુલાસો…

બચ્ચન પરિવારના કાનકુંવર અને અભિનેતા અભિષેક બચ્ચન (Abhishek Bachchan) હાલમાં તેની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. એમાં પણ અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના વેડિંગ ઈવેન્ટ (Anant Ambani-Radhika Merchant Wedding)માં પત્ની અને દીકરી ઐશ્વર્યા રાય-બચ્ચન તેમ જ આરાધ્યા બચ્ચન (Aishwarya Rai-Bachchan And Aaradhya Bachchan)થી અલગ પરિવાર સાથે એન્ટ્રી લઈને તો ખાસી ચર્ચાઓ થઈ રહી છે.

આ પણ વાંચો: ઐશ્વર્યા રાયથી અલગ થવાના સમાચાર વચ્ચે અભિષેક બચ્ચને આ શું કર્યું…?

આ ઘટના બાદ તો ઐશ્વર્યા અને અભિષેકના ડિવોર્સની અફવાઓનું બજાર એકદમ ગરમ થઈ ગયું છે. પરંતુ આ બધા વચ્ચે ફરી એક વખત જુનિયર બચ્ચને તેના અને ઐશ્વર્યા વિશે એવો ખુલાસો કર્યો છે કે જેને કારણે ફેન્સ ખરેખર મૂંઝવણમાં મૂકાઈ ગયા છે કે ભાઈ આ બચ્ચન પરિવારમાં ચાલી શું રહ્યું છે? ચાલો જોઈએ આખરે શું કહ્યું અભિષેકે ઐશ્વર્યાને લઈને…

સૌથી પહેલાં તો તમને જણાવી દઈએ કે ઐશ્વર્યાને લઈને અભિષેકે કરેલો આ ખુલાસો અત્યારનો નથી, પણ જૂનો છે. 2018માં જ્યારે અભિષેક બચ્ચન તેની ફિલ્મ મનમર્ઝિયાનું પ્રમોશન કરી રહ્યો હતો એ સમયે તેની સાથે વિક્કી કૌશલ પણ હતો. એ સમયે વિક્કી અને અભિષેકની લાઈફને લઈને કેટલાક સવાલો પૂછાઈ રહ્યા હતા. એ સમયે વિકી કૌશલને પૂછવામાં આવ્યું કે અભિષેક ક્યાં રહે છે? આ સવાલના જવાબમાં વિક્કી થોડું વિચારીને કહે છે જલસા…

આ પણ વાંચો: તો શું ઐશ્વર્યા રાયે બદલો લીધો? અંબાણીના આશિર્વાદ સમારોહમાં એવા વસ્ત્રો પરિધાન કર્યા કે…

પરંતુ વિકીનો આ જવાબ સાંભળીને અભિષેક કહ્યું હતું કે આ જવાબ ખોટો છે. અભિષેકે કહ્યું કે હું અને ઐશ્વર્યા જલસામાં નથી રહેતાં. ત્યાં તો મારા પેરેન્ટ્સ અભિષેક બચ્ચન અને જયા બચ્ચન (Amitabh Bachchan-Jaya Bachchan) રહે છે. હું એની જ બાજુમાં આવેલા વત્સ નામના બંગલામાં રહે છે.

અભિષેકના આ ખુલાસા બાદ હવે સવાલ એ થાય છે કે જો અભિષેક અને ઐશ્વર્યા જલસામાં નથી રહેતાં તો આખરે બંને વચ્ચે ભંગાણ કયા કારણોસર પડ્યું છે?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…