નેશનલવેપાર અને વાણિજ્ય

Budget: સામાન્ય લોકો પર ઇન્કમ-ટેક્સનો બોજ ઘટાડવાનો સરકારને અનુરોધ

કોલકાતા: ડાયરેક્ટ ટેક્સ પ્રોફેશનલ્સની એક સંસ્થાએ સરકારને આગામી બજેટમાં સામાન્ય લોકો પર આવકવેરાનો બોજ ઘટાડવા (reduce income tax burden) વિનંતી કરી છે. ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સ (AIAFTP)ના પ્રમુખ નારાયણ જૈને આજે જણાવ્યું હતું કે સરકારે આવકવેરા મુક્તિ મર્યાદા (Increase the income tax exemption limit) વધારીને 5 લાખ રૂપિયા કરવી જોઈએ.

જૈને નાણામંત્રીને આપેલા તેમના મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે 5 લાખથી 10 લાખ રૂપિયાની આવક પર 10 ટકા ટેક્સ, 10 લાખથી 20 લાખ રૂપિયાની વચ્ચેની આવક પર 20 ટકા ટેક્સ અને 20 લાખ રૂપિયાથી વધુની આવક પર 25 ટકા ટેક્સ લગાવવામાં આવે.

આ પણ વાંચો: Union Budget 2024: ક્યારે રજૂ થશે મોદી 3.0નું પ્રથમ બજેટ, સરકારે જણાવી તારીખ

જૈન કલકત્તા સિટિઝન્સ ઇનિશિયેટિવના પ્રમુખ પણ છે. તેમણે સરચાર્જ અને સેસ નાબૂદ કરવાની હિમાયત કરી અને કહ્યું કે આ ટેક્સને યથાવત રાખવો યોગ્ય નથી. તેમણે કહ્યું કે સરકાર પર્યાપ્ત રીતે એ સમજાવતી નથી કે એજ્યુકેશન સેસનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે. તેમણે કહ્યું કે શિક્ષણ અને તબીબી સુવિધાઓ પૂરી પાડવી એ સરકારની મૂળભૂત ફરજ છે.

મેમોરેન્ડમમાં અસ્પષ્ટ રોકડ ક્રેડિટ, લોન, રોકાણ અને ખર્ચ પર કલમ 115બીબીઇ હેઠળ કર દરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે નોટબંધી દરમિયાન વધારીને 75 ટકા કરવામાં આવ્યો હતો. જૈને આ દરને મૂળ 30 ટકા પર લાવવાની હિમાયત કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…