અમદાવાદઆપણું ગુજરાત

Ahmedabad Rathyatra: જગન્નાથ મંદિરમાં ખીચડાનો પ્રસાદ ધરાવાયો, ભક્તોની લાંબી લાઈન લાગી

અમદાવાદઃ આજે 147મી રથયાત્રા નિમિતે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નિકળી રહ્યા છે. ત્યારે આજે ભગવાનને ખીચડાનો પ્રસાદ ધરાવાયો હતો. જગન્નાથ મંદિરમાં ખીચડાનો પ્રસાદ લેવા વહેલી સવારથી ભક્તોની લાંબી લાઈન લાગી હતી. ભકતોએ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. આજે રથયાત્રાનો પાવન પર્વ છે ત્યારે ભગવાન જગન્નાથને ખીચડાનો પ્રસાદ ધરાવાયો છે. ભગવાન જગન્નાથને ડ્રાયફ્રુટ અને ગવારફળીનું શાક નાખીને આ ખીચડો તૈયાર કરાય છે.

એક લાખથી વધુ લોકો માટે ખીચડાનો પ્રસાદ તૈયાર:
મોસાળમાં ભગવાનને આંખો આવી ગઈ હોવાથી ભગવાનની આંખો સાજી થાય તેવા ભાવ સાથે ખીચડાનો ભોગ ધરાવાય છે.આજે રથયાત્રાનો પાવન પર્વ ભગવાન જગન્નાથને ખીચડાનો પ્રસાદ ધરાવાયો હતો. અંદાજે એક લાખથી વધુ લોકો માટે ખીચડાનો પ્રસાદ બનાવાય છે.

ભગવાન જગન્નાથને ડ્રાયફ્રુટ અને ગવારફળીનું શાક નાખીને આ ખીચડો તૈયાર કરાય છે. સરસપુરમાં 14થી વધુ પોળોમાં રસોડા શરૂ કરાયા છે. જેમાં પૂરી,શાક, ખીચડી, કઢી, ફૂલવડી, બુંદી, મોહનથાળ જેવી વિવિધ વાનગીઓ તૈયાર થઈ રહી છે. ભક્તોને આવકારવા અને પ્રસાદીની વ્યવસ્થા માટે રસોડાની શરૂઆત કરી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી રહી છે. સરસપુરની લુહાર શેરીમાં સૌથી મોટું રસોડું છેલ્લા 46 વર્ષથી કાર્યરત છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત