નેશનલ

તેલંગણામાં બીઆરએસને ઝટકોઃ કોંગ્રેસના કદમાં થયો વધારો

હૈદરાબાદઃ તેલંગણામાં વિપક્ષ બીઆરએસને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યના મુખ્ય પ્રધાન એ રેવંત રેડ્ડીની હાજરીમાં ગઈકાલે મોડી રાત્રે સત્તાધારી કોંગ્રેસમાં છ પક્ષના એમએલસી જોડાયા હતા. ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)નો ત્યાગનો ભોગ બની રહી છે. ગત વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ છ ધારાસભ્યો સહિત અનેક નેતાઓએ પક્ષ છોડી દીધો હતો.
કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસમાં સામેલ થનારા છ એમએલસીમાં દાંડે વિઠ્ઠલ, ભાનુ પ્રસાદ રાવ, એમએસ પ્રભાકર, બોગ્ગારાપુ દયાનંદ, યેગે મલ્લેશમ અને બસવરાજુ સરૈયાના નામનો સમાવેશ થાય છે. તેલંગણામાં પાર્ટી બાબતોના એઆઇસીસી પ્રભારી દીપા દાસમુંસી અને અન્ય નેતાઓ હાજર હતા, જ્યારે બીઆરએસ એમએલસી સીએમ રેવન્ત રેડ્ડીના નિવાસસ્થાને કોંગ્રેસમાં જોડાયા હતા, જેઓ પીસીસી પ્રમુખ પણ છે.

રેવન્ત રેડ્ડી ગઈકાલે રાત્રે રાષ્ટ્રીય રાજધાનીની બે દિવસીય યાત્રા પરથી પરત ફર્યા બાદ તરત જ એમએલસી કોંગ્રેસમાં જોડાયા હતા. નવા પક્ષપલટો સાથે કોંગ્રેસનું સંખ્યાબળ વિધાન પરિષદમાં ૧૦ પર જવાની તૈયારીમાં છે.

ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણી બાદ છ બીઆરએસ ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા હતા અને એવી અટકળો ચાલી રહી છે કે આવનારા દિવસોમાં વધુ લોકો સત્તાધારી પક્ષ તરફ વળશે. ગયા વર્ષે યોજાયેલી ચૂંટણીમાં બીઆરએસએ કુલ ૧૧૯ વિધાનસભા મતવિસ્તારોમાંથી ૩૯ બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસ ૬૪ બેઠકો જીતીને સત્તા પર આવી હતી.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker