પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), શનિવાર, તા. ૬-૭-૨૦૨૪, આષાઢ શુક્લ પક્ષ શરૂ, કચ્છી હાલારી સંવત ૨૦૮૧,
ભારતીય દિનાંક ૧૫, માહે અષાઢ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આષાઢ સુદ-૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે આષાઢ, તિથિ સુદ-૧
પારસી શહેનશાહી રોજ ૨૬મો આસતાદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૬મો આસતાદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૮મો રશ્ને, માહે ૪થો તીર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૯મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
મીસરી રોજ ૩૦મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
નક્ષત્ર પુનર્વસુ મધ્યરાત્રિ પછી ક. ૨૮-૪૭ સુધી (તા. ૭)
ચંદ્ર મિથુનમાં રાત્રે ક. ૨૨-૩૩ સુધી, પછી કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ), કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૮ અમદાવાદ ક. ૦૫ મિ. ૫૯, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૮, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૯, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : બપોરે ક. ૧૨-૪૧, મધ્યરાત્રે ક. ૦૦-૦૫
ઓટ: સાંજેે ક. ૧૮-૪૯
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આષાઢ શુક્લ – પ્રતિપદા. આષાઢ શુક્લ પક્ષ શરૂ, ઈષ્ટિ, સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીની પુણ્યતિથિ, કચ્છી હાલારી સંવત ૨૦૮૧, શુક્ર કર્કમાં ક. ૨૮-૩૨. સૂર્ય મહાનક્ષત્ર પૂનર્વસુ, વાહન હાથી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: ગુરુ-શનિ ગ્રહદેવતાનું પૂજન, અદિતિ પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શુક્લ પ્રતિપદાના પ્રારંભમાં કુળદેવતા, ઈષ્ટ દેવતાનું ષોડ્શ ઉપચાર સહિત પૂજન, પરદેશગમનનું પસ્તાનું, વિદ્યારંભ, ધાન્ય ભરવું, બી વાવવું, નવા વસ્રો, આભૂષણ, નિત્ય થતાં સ્થાવર લેવડદેવડ, પશુ લેવડદેવડના કામકાજ, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, વૃક્ષ વાવવા, ઉપવાટિકા બનાવવી, ધાન્ય, ખેતર, જમીન સંબંધિત કામકાજ, પ્રાણી પાળવા, મુસાફરી, તીર્થયાત્રા, ઔષધ ઉપચાર, નવા પ્રોજેક્ટ, આયોજનોનો પ્રારંભ, રચનાત્મક પ્રવૃત્તિ, સંતાનની જવાબદારીઓ, ધર્મકાર્યો, ઔષધ ઉપચાર.
આષાઢ માસ સંક્ષિપ્ત: આષાઢ માસ તા. ૬ જુલાઈથી ૪ ઓગસ્ટનો છે. દક્ષિણાયન અને વર્ષાૠતુમાં આવતો આ માસ પર્વો, ઉત્સવો, પારંપારિક, કર્મકાર્યો, સાંસ્કૃતિક કાર્યોની ઉજવણીને લીધે મંગલમય, આનંદનો આ માસ બની રહે છે. આષાઢ શુક્લ પક્ષમાં ત્રીજની વૃદ્ધિ, દિવસ-૧૬ અને કૃષ્ણપક્ષમાં ક્ષય વૃદ્ધિ તિથિ નથી. દિવસ-૧૪ એમ મળી કુલ ૩૦ દિવસનો આ માસ છે. આષાઢી પૂનમે ઉત્તરાષાઢા નક્ષત્ર છે. આથી આ માસ આષાઢ માસ એમ ઓળખાય છે. આ માસમાં પૂનમ-અમાસનું ગ્રહણ નથી. અનેક વ્રતો પર્વોયુક્ત આ માસમાં ગુરુપૂર્ણિમા ઉત્સવ અત્યંત મહિમાવંત છે.
આચમન: ચંદ્ર-શનિ ત્રિકોણ કર્મંઠ સ્વભાવ, ચંદ્ર-શુક્ર યુતિ સાહિત્યનો શોખ
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ત્રિકોણ, ચંદ્ર-શુક્ર યુતિ.
ગ્રહગોચર: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-મિથુન/કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત