આમચી મુંબઈમહારાષ્ટ્ર

મધ્યાહ્ન ભોજનમાંથી મળ્યો મૃત સાપ: વિધાનસભામાં પડઘા પડ્યા

મુંબઈઃ સાંગલીમાં આવેલી સરકાર દ્વારા સંચાલિત નર્સરી સ્કૂલમાં બાળકોને પીરસવામાં આવતા મધ્યાહ્ન ભોજનમાં એક મરેલો સાપ મળી આવતા તંત્ર દોડતું થયું હતું. આ ઘટનાને પગલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. સોમવારે સાંગલીના પાલુસમાં આંગણવાડીમાં ભણતા એક વિદ્યાર્થીના માતા-પિતાએ આ અંગે ફરિયાદ કરી હતી.

રાજ્યના આંગણવાડી વર્કર્સ યુનિયનના ઉપાધ્યક્ષ આનંદી ભોંસલેએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ઘટના ખૂબ જ ગંભીર છે. આ ઘટના પડઘા હાલ ચાલી રહેલા વિધાનસભાના ચોમાસુ સત્રમાં પણ પડયા હતા.

આ પણ વાંચો: આંગણવાડી સ્કૂલોમાં બાળકોની જાન જોખમમાં, મિડ-ડે મીલના પેકેટમાં મળ્યો મૃત સાપ

કોંગ્રેસના નેતા તેમ જ પાલુસ-કાડેગાંવના વિધાનસભ્ય વિશ્વજીત કદમ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યા હતા. આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે, તેવી માગણી કદમે કરી હતી.

વિદ્યાર્થીના માતા-પિતાએ ભોજનમાંથી મળેલા મરેલા સાંપનો ફોટો પાડીને તેને આંગણવાડીની સેવિકાને મોકલાવ્યો હતો. આ ઘટના બાદ તે ભોજનના પેકેટના સેમ્પલ લઇને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલાવી દેવામાં આવ્યા હતા.

ભોંસલેએ આ અંગે કહ્યું હતું કે આંગણવાડીમાં છ મહિનાથી ત્રણ વર્ષના બાળકોને મધ્યાહ્ન ભોજનના પેકેટ આપવામાં આવ્યા હતા જે પ્રિ-મિક્સ દાલ ખિચડીના હતા. આ પેકેટ આંગણવાડીએ આવતા બાળકોના માતા-પિતાને સોંપી દેવામાં આવે છે. સોમવારે પાલુસમાં આંગણવાડીમાં પોતાના બાળકને ભણાવતા માતા-પિતાએ પોતાના પેકેટમાંથી સાંપ નીકળ્યો હોવાની ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો: શાહપુરની આશ્રમશાળામાં વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસર: ચાર સામે ગુનો

આ મુદ્દો જિલ્લા પરિષદની બીજી જુલાઇએ યોજવામાં આવેલી બેઠકમાં પણ ઉઠાવાયો હોત અને આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે, તેવી માહિતી જિલ્લા પરિષદના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર સંદિપ યાદવે આપી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત