પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), ગુરુવાર, તા. ૪-૭-૨૦૨૪
ભારતીય દિનાંક ૧૩, માહે અષાઢ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ વદ-૧૪
જૈન વીર સંવત ૨૫૫૦, માહે જયેષ્ઠ, તિથિ વદ-૧૪
પારસી શહેનશાહી રોજ ૨૪મો દીન, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૪મો દીન, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૬મો મેહેર, માહે ૪થો તીર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૭મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૮મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
નક્ષત્ર મૃગશીર્ષ મધ્યરાત્રિ પછી ક. ૨૭-૫૪ સુધી, પછી આર્દ્રા.
ચંદ્ર વૃષભમાં બપોરે ક. ૧૫-૫૭ સુધી, પછી મિથુનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ), મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૭ અમદાવાદ ક. ૦૫ મિ. ૫૮, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૮, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૯, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૧૧-૧૧, રાત્રે ક. ૨૨-૫૪
ઓટ: સાંજેે ક. ૧૭-૧૦ મધ્યરાત્રિ પછી ક. ૦૫-૦૪ (તા.૫)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, જયેષ્ઠ કૃષ્ણ – ચતુર્દશી. શિવરાત્રિ, ભદ્રા સમાપ્તિ. ક. ૧૭-૨૨. સૂર્ય મહાનક્ષત્ર આર્દ્રા, વાહન મોર.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: ચંદ્ર-ગુરુ ગ્રહદેવતાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, શિવરાત્રિ પૂજન, રાત્રિ જાગરણ, શિવ રુદ્રાભિષેક, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, તુલસીપૂજા, વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, શ્રીસુક્ત-પુરુસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ અભિષેક, નિત્ય થતાં પશુ લે-વેંચ, દસ્તાવેજ, દુકાન-વેપાર, ઘર-ખેતર જમીનના કામકાજ, બી વાવવું, ધાન્ય ભરવું. યાત્રા, પ્રવાસ, વનવગડા, જંગલ, નદી, પહાડ, ઝરણા, કુદરતી સ્થળોની મુલાકાત. કળા, સાહિત્ય, શિક્ષણ, સામાજિક પ્રવૃત્તિ, સંદેશ વ્યવહારનાં સાધનોનો ઉપયોગ કરવો, ઉત્પાદનના વેચાણ માટેના પ્રયત્નો, જાહેરખબરના વ્યવસાયના કામકાજ.
આચમન: ચંદ્ર-શનિ ચતુષ્કોણ શંકાશીલ, ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ અનીતિમાન.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ચતુષ્કોણ, ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ.
ગ્રહગોચર: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-મિથુન, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત