ટોપ ન્યૂઝનેશનલ

Karnataka ના પૂણા- બેંગલોર નેશનલ હાઇવે પર ભીષણ માર્ગ Accident, 13 લોકોના મોત

હાવેરી: કર્ણાટકના (Karnataka)હાવેરીમાં માર્ગ અકસ્માતમાં(Accident) 13 લોકોના મૃત્યુ થયા છે. મળતી માહિતી મુજબ હાવેરીના બડગીમાં એક રસ્તા પર પાર્ક કરાયેલા વાહન સાથે પેસેન્જર વાહન અથડાયું હતું. હાવેરી જિલ્લાના બડગી તાલુકામાં ગુંદેનહલ્લી ક્રોસ પાસે પુણે-બેંગ્લોર નેશનલ હાઈવે(National Highway) પર આજે સવારે આ અકસ્માત થયો હતો. રસ્તા પર ઉભેલી લોરી સાથે અથડાતા પેસેન્જર વાહન સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થયું હતું. કારમાંથી લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. ફાયર વિભાગના જવાનો વાહનમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢી રહ્યા છે.

ચિંચોલી માયમ્માના દર્શન કરીને લોકો પરત ફરી રહ્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકો શિમોગા જિલ્લાના ભદ્રાવતી તાલુકામાં હોલેહોન્નુર નજીકના એમ્મીહટ્ટી ગામના રહેવાસી હતા. કલાબુર્ગી જિલ્લામાં ચિંચોલી માયમ્માની મુલાકાત લઈને એક વ્યક્તિ પોતાના વતન ગામ પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. મૃત્યુ પામેલા 13 લોકોમાં એક બાળક પણ સામેલ છે.

ગામમાં શોકનો માહોલ

હાવેરીના એસપી અંશુકુમારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મચારીઓએ ટીટી વાહનમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા અને ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. 13 લોકોના મોતના સમાચાર સાંભળીને એમ્મેહટ્ટી ગામના લોકો આઘાતમાં છે અને ગામમાં શોકનો માહોલ છે. મૃત્યુ પામેલા તમામ લોકો એક જ ગામના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button