ટોપ ન્યૂઝનેશનલ

NEET-UG પરીક્ષા ગેરરીતિ કેસમાં NTA ચીફ સહિત 10 અધિકારી CBIના શંકાના ઘેરામાં

નવી દિલ્હી : સીબીઆઇ (CBI)જે નીટ યુજી (NEET-UG)પરીક્ષામાં ગેરરીતિઓની તપાસ કરી રહી છે તે પરીક્ષા પ્રક્રિયા સાથે સંકળાયેલ વિવિધ આઉટસોર્સ કંપનીઓના અધિકારીઓની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે.સૂત્રોએ જણાવ્યું કે એનટીએ(NTA)ચીફ પ્રદીપ કુમાર જોશી સિવાય સીબીઆઈના રડાર પર ચીફ ટેકનિકલ ઓફિસર અમરનાથ મિશ્રા અને વરિષ્ઠ પરીક્ષા નિર્દેશક સાધના પરાશર સહિત 10 અધિકારીઓ છે.

અધિકારીઓની ભૂમિકાની પણ તપાસ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)અને તેના ચીફ પ્રદીપ કુમાર જોશી સહિત 10 અધિકારીઓ પણ મેડિકલમાં પ્રવેશ માટે આયોજિત નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએશન નીટ યુજી (NEET-UG)માં ગેરરીતિના કેસમાં શંકાના દાયરામાં આવ્યા છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)પરીક્ષા પ્રક્રિયા સાથે સંકળાયેલી વિવિધ આઉટસોર્સ કંપનીઓના અધિકારીઓની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે.

બેંકોના સ્ટ્રોંગ રૂમની પણ તપાસ કરવામાં આવી રહી છે

સૂત્રોએ જણાવ્યું કે જોશી ઉપરાંત મુખ્ય ટેકનિકલ ઓફિસર અમરનાથ મિશ્રા અને વરિષ્ઠ પરીક્ષા નિર્દેશક સાધના પરાશર પણ સીબીઆઈના રડારમાં છે. આ સાથે દેવવ્રત જે અધિકારી પરીક્ષાના પરિણામો અને વિદ્યાર્થીઓના ડેટાને સુરક્ષિત રાખે છે અને પરીક્ષા અધિક્ષકોને પ્રશ્નપત્રોના સેટ ખોલવા વિશે જાણ કરે છે. આ પ્રશ્નપત્રો અને ઉત્તરવહીઓની સુરક્ષા માટે અને પ્રશ્નપત્રોના પરિવહન માટે જવાબદાર છે. શહેર અને જિલ્લાની બેંકોના સ્ટ્રોંગ રૂમથી લઈને પરીક્ષા કેન્દ્રો સુધી જવાબદાર અધિકારીઓ પણ સીબીઆઈના રડારમાં છે.

NEET-PG પરીક્ષાની તારીખ આવતા અઠવાડિયે જાહેર કરાશે

નેશનલ બોર્ડ ઓફ મેડિકલ સાયન્સના ચેરમેન અભિજિત શેઠે જણાવ્યું હતું કે પેપર લીકના વિવાદને કારણે મોકૂફ રાખવામાં આવેલી NEET-PG,2024ની નવી પરીક્ષાની તારીખ આવતા અઠવાડિયે જાહેર કરવામાં આવશે. બોર્ડ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓની સમીક્ષા બેઠક બાદ તેમનું નિવેદન આવ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ