નેશનલ

Nitish Kumar સરકારનો મોટો નિર્ણય: 826 કરોડના કોન્ટ્રાક્ટ કરાયા રદ્દ, જાણો કેમ?

પટનાઃ બિહારમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ (NDA) સરકારે આરજેડી (RJD)ના નેતૃત્વ હેઠળ હાલની નીતીશ કુમારની સરકારે અગાઉની મહાગઠબંધન સરકાર દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં પીવાના શુદ્ધ પાણીના પુરવઠા માટે આપવામાં આવેલા 826 કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ રદ કર્યા હતા, એમ એક અહેવાલમાં જણાવાયું હતું.

રાજ્ય સરકારના પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટે કોન્ટ્રાક્ટરોની પસંદગી પ્રક્રિયામાં “અનિયમિતતા” હોવાનું કારણ જણાવીને 826 કરોડ રૂપિયાના 350 કોન્ટ્રાક્ટ્સ રદ કર્યા છે. વિભાગ મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીના પુરવઠા માટે જવાબદાર છે.

આ પણ વાંચો: Arvind Kejriwal જેલમાં જ રહેશે, હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના જામીન પર સ્ટે યથાવત રાખ્યો

બિહારના પીએચઇડી મંત્રી નીરજ કુમાર સિંહે જણાવ્યું હતું કે વિભાગની તપાસમાં જાણવા મળ્યું છે કે રાજ્યમાં અગાઉની આરજેડીના નેતૃત્વ હેઠળની મહાગઠબંધન સરકાર દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં પાણી પુરવઠાની પ્રણાલીને લગતા 350 કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા.

આ કોન્ટ્રાક્ટ હેન્ડપંપની સ્થાપના, મિની વોટર સપ્લાય સિસ્ટમ વગેરે સાથે સંબંધિત હતા. તપાસ અહેવાલ મળ્યા બાદ મેં તાજેતરમાં વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠક બોલાવી હતી. જેના પછી આ કોન્ટ્રાક્ટ્સ રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Senior Citizenને Indian Railwayમાં ફરી વખત મળશે ખાસ આ સુવિધા, રેલવે પ્રધાને કરી જાહેરાત…

મંત્રીએ કહ્યું હતું કે વિભાગે આ કરારો સંબંધિત પ્રાથમિક તપાસ અહેવાલ રાજ્ય સરકારના સક્ષમ અધિકારીને સોંપ્યો હતો, જેથી સંપૂર્ણ તપાસ થઈ શકે. જે પણ દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યમાં છેલ્લી મહાગઠબંધન સરકાર દરમિયાન આરજેડી નેતા લલિત યાદવ પીએચઇડી મંત્રી હતા. સિંહે કહ્યું હતું કે છેલ્લી સરકારે પીએચઇડી વિભાગને 4600 કરોડ રૂપિયાના કુલ 1160 કોન્ટ્રાક્ટ આપ્યા હતા. અમે અત્યાર સુધીમાં 350 કોન્ટ્રાક્ટ કેન્સલ કર્યા છે, બાકીની તપાસ ચાલી રહી છે.

તેમણે કહ્યું હતું કે જમુઈમાં 73, લખીસરાયમાં 20, ઔરંગાબાદમાં 18 અને આરામાં 11 કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યા છે. જનતા દળ યુનાઈટેડના વડા અને મુખ્યમંત્રી નીતિશ કુમારે આ વર્ષે જાન્યુઆરીમાં આરજેડી સાથેના સંબંધો તોડી નાખ્યા અને એનડીએમાં પરત ફર્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ