નેશનલ

પીએમ મોદી વરિષ્ઠ મંત્રીઓએ 18મી લોકસભાના સભ્યો તરીકે શપથ લીધા

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ અને અમિત શાહ સહિત તેમના પ્રધાનમંડળના સભ્યોએ સોમવારે 18મી લોકસભાના પ્રથમ સત્રની શરૂઆત વખતે સભ્યો તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.

મોદી આ મહિનાની શરૂઆતમાં સતત ત્રીજી વખત સત્તા પર પાછા ફર્યા હતા તેમણે અને તેમના પ્રધાન મંડળે 9 જૂને શપથ લીધા હતા.

લોકસભાના સભ્ય તરીકે પણ આ તેમનો ત્રીજો કાર્યકાળ છે. તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં મોદીએ તેમની વારાણસી બેઠક જાળવી રાખી હતી, જે તેઓ 2014 થી જીતી રહ્યા છે. ગૃહના નેતા તરીકે તેઓ શપથ લેનારા પ્રથમ વ્યક્તિ હતા.

સત્તાધારી બેન્ચના સભ્યો દ્વારા કરાયેલા ‘જય શ્રી રામ’ના નારા વચ્ચે મોદીએ હિન્દીમાં શપથ લીધા હતા.

જ્યારે તેઓ શપથ લઈ રહ્યા હતા ત્યારે વિપક્ષી સભ્યો બંધારણની નકલો લઈને ઉભા હતા. જ્યારે શાહ શપથ લેવા આવ્યા ત્યારે તેઓએ ફરીથી બંધારણની નકલો હાથમાં રાખી હતી પરંતુ બેઠા રહીને.

આ પણ વાંચો : મોદી 3.0ઃ અઢારમી લોકસભાના પ્રથમ દિવસ કંઇક આવો હતો….

પ્રધાન મંડળમાં વિદેશ પ્રધાન એસ જયશંકર અને નાણા પ્રધાન નિર્મલા સીતારમણ રાજ્યસભાના સભ્ય છે, જ્યારે રાજ્ય કક્ષાના પ્રધાનો જ્યોર્જ કુરિયન અને રવનીત સિંહ કોઈપણ ગૃહના સભ્ય નથી.

રાજનાથ સિંહ અને શાહ ઉપરાંત રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈ વે પ્રધાન નીતિન ગડકરીએ પણ 18મી લોકસભાના સભ્યો તરીકે શપથ લીધા હતા.

જ્યારે રાજનાથ સિંહ ઉત્તર પ્રદેશની લખનૌ બેઠક પરથી ફરીથી ચૂંટાયા છે. શાહ ગુજરાતમાં ગાંધીનગરથી અને ગડકરી મહારાષ્ટ્રના નાગપુરથી પાછા ચૂંટાયા હતા. ત્રણેયે હિન્દીમાં શપથ લીધા હતા.

તેમની પહેલાં વરિષ્ઠ સભ્યો રાધા મોહન સિંહ અને ફગ્ગન સિંહ કુલસ્તે (બંને ભાજપના)એ શપથ લીધા હતા અને નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવવામાં પ્રોટેમ સ્પીકરને મદદ કરશે. જ્યારે સભ્યો સોમવાર અને મંગળવારે શપથ લેશે ત્યારે તેઓ પ્રોટેમ સ્પીકર બી. મહતાબને ગૃહ ચલાવવામાં મદદ કરશે.

કોંગ્રેસના સભ્યો કે. સુરેશ (કોંગ્રેસ), ટી. આર. બાલુ (ડીએમકે) અને સુદીપ બંદોપાધ્યાય (ટીએમસી)ને શપથ લેવા માટે બોલાવવામાં આવ્યા હતા કારણ કે તેઓ પણ સિંહ અને કુલસ્તે જેમ અધ્યક્ષોની પેનલ પર નિયુક્ત થયા હતા, પરંતુ તેઓ શપથ લેવા આવ્યા ન હતા.

કોંગ્રેસે મહતાબની નિમણૂક સામે વાંધો ઉઠાવ્યો છે અને દલીલ કરી છે કે આઠ ટર્મના સભ્ય અને દલિત નેતા સુરેશના દાવાને અવગણવામાં આવ્યો હતો. ઈન્ડિ ગઠબંધને કહ્યું હતું કે વિરોધ દર્શાવવા માટે વિપક્ષી નેતાઓ સુરેશ, બાલુ અને બંદોપાધ્યાય અધ્યક્ષોની પેનલમાં જોડાશે નહીં.

કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ઉર્જા મંત્રી મનોહર લાલ ખટ્ટર, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી જીતન રામ માંઝી અને મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી રાજીવ રંજન (લાલન) સિંહે પણ નવી લોકસભાના સભ્યો તરીકે શપથ લીધા હતા.
સ્ટીલ અને ભારે ઉદ્યોગ પ્રધાન એચડી કુમારસ્વામીએ કન્નડમાં, શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ઓડિયામાં, બંદરો અને શિપિંગ પ્રધાન સર્બાનંદ સોનોવાલે આસામીમાં, નાગરિક ઉડ્ડયન પ્રધાન કે રામમોહન નાયડુ અને કોલસા અને ખાણ પ્રધાન જી કિશન રેડ્ડીએ તેલુગુમાં શપથ લીધા હતા અને ગ્રાહક બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી કન્નડમાં શપથ લીધા હતા.
કેન્દ્રીય ઉર્જા અને નવી અને પુન:પ્રાપ્ય ઉર્જા રાજ્ય મંત્રી શ્રીપદ વાય નાયકે સંસ્કૃતમાં શપથ લીધા હતા. (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ