નેશનલ

Sri Lanka Navyએ વધુ 18 ભારતીય માછીમારની કરી ધરપકડ

કોલંબોઃ શ્રી લંકાના નૌકાદળ (Sri Lanka Navy) દ્વારા ટાપુ રાષ્ટ્રની જળસીમામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવા બદલ ૧૮ જેટલા ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી અને ત્રણ માછીમારી બોટ જપ્ત કરવામાં આવી હતી, એમ એક મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.

મીડિયાના અહેવાલ મુજબ શનિવારે રાત્રે હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન ડેલ્ફટ ટાપુઓ નજીક ઉત્તર સમુદ્રમાંથી માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. નૌકાદળના પ્રવક્તા કેપ્ટન ગાયન વિક્રમસૂર્યાએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા માછીમારોને આગળની કાયદેસરની કાર્યવાહી માટે કંકેસંતુરાઇ ફિશિંગ બંદર પર લઇ જવામાં આવશે.
નોંધનીય છે કે ગયા અઠવાડિયે ચાર ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી અને શ્રીલંકાના નૌકાદળ દ્વારા કથિત રીતે ટાપુ રાષ્ટ્રની જળસીમામાં શિકાર કરવા બદલ તેમની હોડી જપ્ત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: અરબ સાગરમાં 55 કિમીની ઝડપે ફૂંકાશે પવન, માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા એલર્ટ

શ્રી લંકન અધિકારીઓના જણાવ્યા અનુસાર તાજેતરની ઘટના પહેલા ૨૦૨૪માં ૧૮૦થી વધુ ભારતીય માછીમારોની ધરપકડ અને શ્રી લંકાની જળસીમામાં ગેરકાયદેસર માછીમારી કરવા બદલ ૨૫ બોટ જપ્ત કરવામાં આવી હતી. આમાંની મોટાભાગની ઘટનાઓ પાલ્ક સ્ટ્રેટમાં બની છે, જે તામિલનાડુને શ્રી લંકાના ઉત્તરીય છેડાથી અલગ કરતી પાણીની સાંકડી પટ્ટી છે. જે બંને દેશોના માછીમારો માટે સમૃદ્ધ માછીમારીનું મેદાન છે.

ભારત અને શ્રી લંકા વચ્ચેના સંબંધોમાં માછીમારોનો મુદ્દો વિવાદાસ્પદ છે. જેમાં શ્રીલંકાના નૌકાદળના જવાનો ક્યારેક પાલ્ક સ્ટ્રેટમાં ભારતીય માછીમારો પર ગોળીબાર પણ કરે છે અને શ્રી લંકાની પ્રાદેશિક જળસીમામાં ગેરકાયદે રીતે પ્રવેશ કરવા બદલ તેમની બોટ જપ્ત કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…