આમચી મુંબઈ

મહિલાને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ છ જણની ધરપકડ

લાતુર: લાતુર જિલ્લામાં 30 વર્ષની મહિલાને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ પોલીસે નવ જણની ધરપકડ કરી હતી.
વિઠ્ઠલનગર ખાતે રહેતી અનિતા બાલાજી લશ્કરે (30)એ 6 જૂને કૂવામાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. દરમિયાન અનિતાના પિતાએ આ પ્રકરણે ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે શુક્રવારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
અનિતાના પિતાએ આક્ષેપ કર્યો હતો કે તેની પુત્રી અને જમાઇને તેમના સંબંધીઓ ત્રાસ આપતા હતા અને ધમકી પણ આપતા હતા.

અનિતાના પિતાએ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સમક્ષ ફરિયાદ કરી હતી કે કેટલાક પોલીસ કર્મચારીએ ધમકી અંગેની તેની પુત્રીની ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો હતો અને તેનું અપમાન પણ કર્યું હતું. આ પ્રકરણે તપાસ કરાઇ હતી અને અપમાનજનક વર્તન માટે જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. (પીટીઆઇ)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત