નેશનલ

Arvind Kejriwal ને જામીન માટે વધુ રાહ જોવી પડશે, 14 જૂને સુનાવણી

નવી દિલ્હી : દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) નિયમિત જામીન માટે વધુ રાહ જોવી પડશે. રાઉઝ એવન્યુની વિશેષ અદાલતે શુક્રવારે આ કેસની સુનાવણી કરતા કેજરીવાલના નિયમિત જામીન 14 જૂન સુધી મુલતવી રાખ્યા છે.

સેશન્સ કોર્ટમાં 8 જૂનથી ઉનાળુ વેકેશન

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)વતી એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુ અને અધિક સરકારી વકીલ ઝોહૈબ હુસૈન હાજર થયા હતા. દરમિયાન વરિષ્ઠ વકીલ હરિહરને કેજરીવાલ વતી પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. હરિહરને કોર્ટને કહ્યું કે તેમને થોડા સમય પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તરફથી જવાબ મળ્યો હતો. આવા કિસ્સામાં કેસ વેકેશન જજને મોકલવો જોઈએ. દિલ્હી સેશન્સ કોર્ટમાં 8 જૂનથી ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે. કોર્ટે હવે આ કેસને 14 જૂન માટે લિસ્ટ કર્યો છે.

સીબીઆઈએ દારૂ કૌભાંડ કેસમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી

આ સાથે જ સીબીઆઈએ એક્સાઈઝ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં પૂરક ચાર્જશીટ પણ દાખલ કરી છે. સીબીઆઈએ રાઉઝ એવન્યુ કોર્ટમાં દાખલ ચાર્જશીટમાં બીઆરએસ નેતા કે. કવિતાને આરોપી બનાવવામાં આવી છે. અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કવિતા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ચાર્જશીટની નોંધ લીધી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button