નેશનલ

નવા સંસદ ભવનનું નામકરણ થયું

'ભારતનું સંસદ ભવન' નામ અપાયું

નવી દિલ્હીઃ સંસદની નવી ઇમારતનું નામ ‘ભારતનું સંસદ ભવન’ રાખવામાં આવ્યું છે. લોકસભા સચિવાલયની સૂચનામાં આ માહિતી આપવામાં આવી છે. જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, ‘લોકસભાના સ્પીકરને એ જણાવતા આનંદ થાય છે કે સંસદ ભવનની સીમામાં અને વર્તમાન સંસદ ભવનની પૂર્વમાં પ્લોટ નંબર 118, નવી દિલ્હીમાં સ્થિત નવી સંસદ ભવન. જેની દક્ષિણે રાયસીના રોડ છે અને ઉત્તરમાં રેડ ક્રોસ રોડ છે, જેને ‘ભારતનું સંસદ ભવન’ નામ આપવામાં આવ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષના મે મહિનામાં નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સંસદની નવી ઇમારતના લોકસભા ગૃહમાં 888 સભ્યો માટે બેઠકો છે. રાજ્યસભામાં 300 સીટો છે. નવી સંસદ ત્રિકોણાકાર આકારની ચાર માળની ઇમારત છે, જે 64,500 ચોરસ મીટરમાં ફેલાયેલી છે.


નવી સંસદ ભવન માટે ત્રણ મુખ્ય પ્રવેશદ્વાર છે. જેમના નામ જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર છે. તે જ સમયે, VIP, સાંસદ અને મહેમાનો માટે અલગ પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત