આપણું ગુજરાત

કેશોદમાં ચાર વૃક્ષો કપાયા ને 80 બગલા મોતને ભેટ્યા

જૂનાગઢના કેશોદમાં ચાર મહાકાય વૃક્ષો કાપી નાખતા 80થી વધુ બગલાના મોત નિપજ્યા હતાં. આ ઘટનાથી જાણ થતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે.

જૂનાગઢના કેશોદમાં આવેલા રણછોડનગરના રહીશોએ પીપળા સહિતના ચાર મહાકાય વૃક્ષો કાપી નાખતા આ વૃક્ષો પર માળાઓ બાંધીને રહેતા 80થી વધુ બગલાનાં મોત થયા છે. રણછોડનગરના રહીશોએ આ ચાર વૃક્ષો કાપ્યાનું કારણ આપતા જણાવ્યુ હતુ કે આ ચાર વૃક્ષો પર અસંખ્ય બગલાઓએ માળા બાંધ્યા હતા જેના કારણે તેમના ઘરો પર અને વૃક્ષો આસપાસ ખુબ ગંદકી થતી હતી.


બગલા બહારથી ખોરાક તરીકે માછલાં લાવતા હતા, મકાનો-ફળિયા-રોડ પર ગંદકી કરતા હતા જેના કારણે બહાર નીકળવાનું પણ મુશ્કેલ બની ગયું હતું. દુર્ગંધ પણ આવતી હતી. જોકે આ માટે તેમણે જરૂરી પરવાનગી લીધી હતી કે નહીં તે અંગે વાતચીત થઈ નથી. આ સાથે મહાનગરપાલિકાના સૂત્રો સાથે પણ વાતચીત થઈ નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?