આમચી મુંબઈમહારાષ્ટ્ર

સમૃદ્ધિ મહામાર્ગ: તો હવે મુંબઈથી નાગપુરની મુસાફરી માત્ર 8 કલાકમાં થશે…!

મુંબઈથી નાગપુર અને નાગપુરથી મુંબઈ જનારા મુસાફરો માટે સારા સમાચાર છે. સમૃદ્ધિ હાઇવેનું કામ નવેમ્બર સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. અત્યાર સુધી સમૃદ્ધિના 3 તબક્કા પૂર્ણ થયા છે, હવે તેનો ચોથો તબક્કો ટૂંક સમયમાં પૂર્ણ થશે. નાગપુરને મુંબઈ સાથે જોડતો 701 કિમીનો સમૃદ્ધિ મહામાર્ગ હાલમાં નાગપુરથી ઈગતપુરી નગર સુધી ચાલુ છે.

ડિસેમ્બર 2022માં નાગપુરથી શિરડી સુધીનો 520 કિમીનો માર્ગ ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પછી, શિરડીથી ભારવીર સુધીનો 80 કિમીનો તબક્કો 2023 માં શરૂ કરવામાં આવ્યો હતો. જાન્યુઆરી 2024 માં, મુસાફરોને સેવા આપવા માટે ભારવીરથી ઇગતપુરી સુધીનો 25 કિમી લાંબો ત્રીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો હતો. કુલ 701 કિલોમીટર લાંબા હાઇવેમાંથી 625 કિલોમીટર ટ્રાફિક માટે ખુલ્લો છે. હાલમાં, ઇગતપુરી-અમને વચ્ચેના છેલ્લા તબક્કાના 76 કિમીનું કામ પૂર્ણતાના આરે છે અને એકવાર તે પૂર્ણ થયા પછી, નાગપુર-મુંબઈ વચ્ચેના અંતરનો તફાવત નોંધપાત્ર રીતે ઘટશે.

MSRDCના અધિકારીઓએ તાજેતરમાં પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે કસારા ખાતેના ખરડી બ્રિજના એક ભાગનું કામ હજુ પૂર્ણ થયું નથી, આ સિવાય બીજા ભાગનું કામ ડિસેમ્બરમાં પૂર્ણ થશે. કસારા ખાતે ખરડી બ્રિજનો એક છેડો ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થશે જ્યારે બીજો છેડો ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે. છેલ્લા તબક્કામાં ડિસેમ્બર સુધી વાહનવ્યવહાર બંધ રાખવાની જરૂર નથી. બ્રિજનો જે ભાગ પહેલા પૂર્ણ થશે ત્યાંથી ટ્રાફિક શરૂ કરવામાં આવશે. આ સાથે નાગપુર-મુંબઈ વચ્ચેનું અંતર માત્ર 8 કલાકમાં કાપવાનું મુસાફરોનું સપનું પૂરું થશે.

આ એક્સપ્રેસ વે બંને બાજુ ત્રણ-ત્રણ એમ છ લેનનો છે. ઑગસ્ટ સુધીમાં ચાર લેન શરૂ કરી નાખવામાં આવશે. આ એક અસ્થાયી વ્યવસ્થા હશે. ‘અમે નવેમ્બર સુધીમાં સમગ્ર એક્સપ્રેસ વેને સિક્સ લેનનો પ્રોજેક્ટ કાર્યરત કરવાની યોજના ધરાવીએ છીએ,’ એમ એમએસઆરડીસીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત