આમચી મુંબઈટોપ ન્યૂઝ

Attention please: આજે અને કાલે મુંબઈની આ લોકલ ટ્રેનોના રૂટમાં થશે ફેરફાર

મુંબઈઃ મુંબઈમાં લોકલમાં પ્રવાસ કરતા તમામ પ્રવાસીઓએ આ સમાચાર વાંચી લેવા કારણ કે તમારી ટ્રેનના રૂટ્સમાં થોડો ફેરફાર થવાનો છે. આ ફેરફાર બે દિવસ પૂરતો જ રહેશે. આ અંગે રેલવેએ આપેલી માહિતી અનુસાર
25/26 મે, 2024 (શનિવાર/રવિવાર) ની મધ્યરાત્રિ દરમિયાન 01.10 કલાકથી 04.10 કલાક સુધી ત્રણ કલાકનો મોટો બ્લોક ચર્ચગેટ અને મરીન લાઇન્સ સ્ટેશનો વચ્ચે વાનખેડે ફૂટ ઓવર બ્રિજ (દક્ષિણ) ના મુખ્ય ગર્ડર્સને ડી-લોન્ચ કરવા માટે લેવામાં આવવાનો છે. આની અસર જે લોકલ ટ્રેન પર થવાની છે તેની વિગતો આ પ્રમાણે છે.
મુંબઈ સેન્ટ્રલ અને ચર્ચગેટ વચ્ચે આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:-

1.ટ્રેન નંબર 91014 બોરીવલી-ચર્ચગેટ લોકલ 26મી મે, 2024ના રોજ સવારે 00.10 કલાકે બોરીવલીથી ઉપડતી મુંબઈ સેન્ટ્રલ ખાતે સુધીની રહેશે.

2.ટ્રેન નંબર 91018 વિરાર-ચર્ચગેટ લોકલ 25મી મે, 2024ના રોજ 23.49 કલાકે વિરારથી ઉપડતી મુંબઈ સેન્ટ્રલ સુધી.

3.ટ્રેન નંબર 91020 બોરીવલી-ચર્ચગેટ લોકલ 26મી મે, 2024ના રોજ સવારે 00.30 કલાકે બોરીવલીથી ઉપડતી મુંબઈ સેન્ટ્રલ સુધી

4.ટ્રેન નંબર 91024 વિરાર-ચર્ચગેટ લોકલ 26મી મે, 2024ના રોજ 00.05 કલાકે વિરારથી ઉપડતી મુંબઈ સેન્ટ્રલ ખાતે ટૂંકી ટર્મિનેટ થશે.

5.ટ્રેન નંબર 90011 ચર્ચગેટ-વિરાર 1 લોકલ 26મી મે, 2024ના રોજ ચર્ચગેટથી 04.15 કલાકે ઉપડનારી લોકલ ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને મુંબઈ સેન્ટ્રલથી 04.25 કલાકે ઉપડશે.

6.ટ્રેન નંબર 90015 ચર્ચગેટ-બોરીવલી લોકલ જે 26મી મે, 2024ના રોજ ચર્ચગેટથી 04.18 કલાકે ઉપડશે તે ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને મુંબઈ સેન્ટ્રલ 04.28 કલાકે ઉપડશે.

7.ટ્રેન નંબર 91012 વિરાર-ચર્ચગેટ લોકલ 25મી મે, 2024ના રોજ 23.30 કલાકે વિરારથી ઉપડતી 01.10 કલાકે ચર્ચગેટ પહોંચશે. 25 મે, 2024ના રોજ વિરારથી ચર્ચગેટ સુધી દોડનારી આ છેલ્લી લોકલ હશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…