નેશનલ

વૈષ્ણોદેવી જતી મીની બસને થયો અકસ્માત, 7ના મોત

હરિયાણાના અંબાલાથી વહેલી સવારે એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. અંબાલામાં એક ભયાનક અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. 24 મેના રોજ સવારે દિલ્હી-જમ્મુ નેશનલ હાઈવે પર એક મીની બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે આસપાસના લોકોને એવું લાગ્યું કે જાણે કોઈ મોટો વિસ્ફોટ થયો હોય. આ જોરદાર અથડામણમાં એક જ પરિવારના સાત લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 20 લોકો ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું છે. જો કે, ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. ટક્કર એટલી જોરદાર હતી કે મીની બસનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને પ્રશાસનને અકસ્માતની જાણ કરી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત હાઇવે પર મોહદ ગામ પાસે થયો હતો. મીની બસમાં લગભગ 25 લોકો સવાર હતા જેમાંથી 7 લોકોએ જીવ ગુમાવ્યો હતો. અકસ્માતની માહિતી મળતા જ મોહદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોને કબજામાં લઈ લીધા હતા.

ઘાયલો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ અકસ્માત વધુ સ્પીડના કારણે થયો હતો. આગળ જતી ટ્રકની સામે અચાનક એક વાહન આવ્યું હતું, જેના કારણે ટ્રક ચાલકે તેનાથી બચવા માટે બ્રેક લગાવી. પાછળથી આવી રહેલી મીની બસનો ચાલક સ્પીડ પર કાબૂ ન રાખી શક્યો અને મીની બસ તેની સાથે અથડાઇ હતી. બસમાં મુસાફરી કરી રહેલી એક મહિલાએ જણાવ્યું હતું કે ડ્રાઈવર નશામાં હતો અને અકસ્માત બાદ તે સૌથી પહેલા બહાર નીકળીને ભાગી ગયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, યુપીના બુલંદશહરના ભક્તો માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે મીની બસ દ્વારા જઈ રહ્યા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ 7 લોકો એક જ પરિવારના હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ઘાયલ ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ચાર લોકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker