નેશનલ

રાહુલ ગાંધીએ કૉંગ્રેસના નેતાઓને શું સલાહ આપી?


હૈદરાબાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ સનાતન ધર્મ વિવાદમાં ન પડવાની સલાહ આપી હતી. આ નેતાઓનું કહેવું છે કે આનાથી કોંગ્રેસને નુકસાન થશે જ્યારે ભાજપને ફાયદો થશે. જોકે સાંસદ અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખાસ સલાહ આપી હતી કે આપણે ગરીબો અને તેમની સમસ્યાઓના મુદ્દા પર ધ્યાન આપવાનું છે. આ પ્રકારના મામલે નહીં. તેમણે એમ પણ કહ્યું કે આપણી મતબેંક પણ આ ગરીબો અને વંચિત લોકો છે, જેમની કોઈ જાતિ-ધર્મ નથી.
શનિવારે હૈદરાબાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં સનાતન ધર્મ પર ચાલી રહેલા વિવાદ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના કેટલાક નેતાઓએ આ મામલે સાવધ અભિગમ અપનાવવા અને ભાજપના એજન્ડામાં ફસાઈ ન જવાની અપીલ કરી છે.
સૂત્રોએ જણાવ્યું કે, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ સહિત કેટલાક નેતાઓએ CWCની બેઠકમાં કહ્યું કે પાર્ટીએ આવા મુદ્દાઓથી દૂર રહેવું જોઈએ અને તેમાં ફસાઈ જવું જોઈએ નહીં.
સાથે જ રાહુલ ગાંધીએ પણ પોતાના નેતાઓને સનાતન વિવાદમાં ન પડવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે આમાં ફસાઈ જવાને બદલે ગરીબો અને તેમના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કારણ કે તેઓ પાર્ટીની પરંપરાગત વોટ બેંક છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પાર્ટીએ ગરીબોના મુદ્દા ઉઠાવવા જોઈએ, જ્ઞાતિને ધ્યાનમાં લીધા વગર. આ બેઠકમાં ભૂપેશ બઘેલ અને દિગ્વિજય સિંહ બંનેએ કહ્યું કે સનાતન ધર્મ વિવાદ પર બોલવાથી પાર્ટીને નુકસાન થશે અને ભાજપને ફાયદો થશે.
આ બેઠક પછી યોજાયેલી બ્રીફિંગમાં જ્યારે આ બાબત વિશે પૂછવામાં આવ્યું ત્યારે પાર્ટીના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે કહ્યું કે CWCની બેઠક દરમિયાન સનાતન ધર્મના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી ન હતી. તેમણે કહ્યું કે પાર્ટી તમામ ધર્મોનું સન્માન કરવામાં માને છે.
ચિદમ્બરમે કહ્યું, સનાતન ધર્મના મુદ્દા પર કોઈ ચર્ચા થઈ નથી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એકદમ સ્પષ્ટ કરી દીધું છે કે કોંગ્રેસ પાર્ટી સનાતન ધર્મના મુદ્દે કોઈપણ વિવાદમાં પડવા તૈયાર નથી.
ચિદમ્બરમે કહ્યું હું ડીએમકે માટે નથી બોલી રહ્યો, પરંતુ ડીએમકેએ કહ્યું કે તેઓ કોઈ પણ ધર્મની વિરુદ્ધ નથી. તેઓ જાતિય દમન અને જાતિ પ્રણાલી સાથે જોડાયેલી બાબતો જેવી કે મહિલાઓ પર અત્યાચાર, દલિતોનું અત્યાચાર વગેરેનો વિરોધ કરે છે.
તાજેતરમાં DMK નેતા ઉધયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ અંગે કરેલી વિવાદાસ્પદ ટીપ્પણી બાદ આ મામલો વકર્યો હતો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત