આમચી મુંબઈ

ઓબીસી ક્વોટાને નુકસાન નહીં પહોંચે: ફડણવીસ

નાગપુર: નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે અનામત હેતુઓ માટે અન્ય પછાત વર્ગની શ્રેણીમાં મરાઠા સમુદાયના સમાવેશના વિરોધ વચ્ચે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર કોઈપણ રીતે ઓબીસી ક્વોટાને ખલેલ ન પહોંચાડવા અંગે સ્પષ્ટ છે. નાગપુર એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા, ફડણવીસે કહ્યું, રાજ્ય સરકારે ઓબીસી ક્વોટાને સ્પર્શવા, ઘટાડવા અથવા વહેંચવા અંગે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. તેથી, અમે ઓબીસી સમુદાયને તેમનું આંદોલન પાછું ખેંચવાની વિનંતી કરીએ છીએ. ડેપ્યુટી સીએમએ કહ્યું કે તેમણે છત્રપતિ સંભાજીનગરમાં આંદોલનકારીઓને અંગત રીતે વિનંતી કરી હતી. ફડણવીસે કહ્યું કે ચંદ્રપુર અને નાગપુરમાં આંદોલન કરનારાઓએ પણ પોતાનો વિરોધ પાછો ખેંચી લેવો જોઈએ. “હું નાગપુરમાં તેમને મળીશ અને તેઓને તેમનું આંદોલન પાછું ખેંચવા વિનંતી કરીશ, તેમણે કહ્યું. પોલીસે ૧ સપ્ટેમ્બરના રોજ જાલના જિલ્લાના અંતરવાલી સરાતી ગામમાં હિંસક ટોળા પર લાઠીચાર્જ કર્યો હતો જ્યારે વિરોધીઓએ કથિત રીતે ક્વોટા મુદ્દે ભૂખ હડતાળ પર બેઠેલા કાર્યકર મનોજ જરાંગેને સત્તાવાળા દ્વારા હોસ્પિટલમાં ખસેડવા દેવાનો ઇનકાર કર્યો હતો. ત્યાર બાદ મરાઠા ક્વોટાનો મુદ્દો રાજ્યમાં કેન્દ્રિય મંચ પર ગાજ્યો હતો. તે પછી રાજ્યએ જરાંગે સાથે વાટાઘાટો શરૂ કરી અને મરાઠાઓને કુણબી જાતિ પ્રમાણપત્ર આપવાનું નક્કી કર્યું જેમના પૂર્વજોને હૈદરાબાદ સામ્રાજ્યના નિઝામ યુગના દસ્તાવેજોમાં કુણબી તરીકે વર્ણવવામાં આવ્યા હતા. (પીટીઆઈ)ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?