IPL 2024સ્પોર્ટસ

શું પિતાનું નામ કલંકિત કરશે અર્જુન તેંડુલકર! LSGના સિનિયર બેટ્સમેનને બધાની સામે મારવાની ધમકી આપી

Mumbai: ક્રિકેટ જગતના લેજન્ડરી બેટ્સમેન ગણાતા Sachin Tendulkarના પુત્ર Arjunને IPL 2024માં મુંબઇની ટીમ વતીથી રમવાની તક મળી છે, પણ બોલિંગ દરમિયાન તેનો સામેની ટીમ (લખનૌ સુપર જાયન્ટ્સ)ના સિનિયર ખેલાડી માર્કસ સ્ટોઈનિસને ધમકી આપતો વિડીયો જાહેર થયા બાદ લોકો એવી પ્રતિક્રિયા આપી રહ્યા છે કે અર્જુન તેંડુલકર પોતાના આવા પ્રદર્શનને કારણે પિતાની સાખને કલંકિત કરશે.



મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે આઈપીએલ 2024 સીઝનની 67મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને IPL 2024માં મુંબઇની ટીમ વતીથી પ્રથમ વાર પ્લેઈંગ 11માં રમવાની તક મળી હતી, જે તેના માટે ઉતાર-ચઢાવથી ભરેલી હતી. તેને પહેલી જ ઓવરમાં વિકેટ મળવાની હતી, પરંતુ સમીક્ષા બાદ ટીવી અમ્પાયરે તેને નોટ આઉટ જાહેર કર્યો હતો. પ્રથમ બે ઓવર તેના માટે જબરદસ્ત રહી, પરંતુ ત્રીજી ઓવરમાં તેના પહેલા બે બોલમાં બે સિક્સર ગઇ જો કે ઈજાના કારણે તે મેચની વચ્ચે ડ્રેસિંગ રૂમમાં ગયો હતો, પરંતુ મેદાન પર તેનો માર્કસ સ્ટોઈનિસને ધમકી આપતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

તેંડુલકરે તેની પ્રથમ મેચની પ્રથમ ઓવરના છેલ્લા બોલ પર માર્કસ સ્ટોઇનિસ દ્વારા રમવામાં આવેલા રક્ષણાત્મક શોટ પર તેના હાથમાં બોલને આક્રમક રીતે ફટકારવાની કાર્યવાહી કરી હતી. જે બાદ સોશિયલ મીડિયા પર ઘણા ક્રિકેટ સમર્થકો અર્જુન તેંડુલકરને તેના સિનિયર ખેલાડી પ્રત્યેના વર્તનને કારણે ટ્રોલ કરી રહ્યા છે. જો તમે પણ અર્જુન તેંડુલકર અને માર્કસ સ્ટોઇનિસ વચ્ચેની ઘટનાની વિડિયો ક્લિપ જોવા માગો છો, તો તમે નીચે આપેલી લિંક પર ક્લિક કરી શકો છો.

https://twitter.com/ajithkumaarrrrr/status/1791486650457170326?t=pS57OtlbOdd_jOsTUiPIWQ&s=08

અર્જુન તેંડુલકરને વર્ષ 2023ના છેલ્લા લીગ તબક્કામાં તેણે પોતાની મેચ રમી ત્યારથી લઈને છેલ્લી મેચ સુધી, એક પણ મેચમાં ભાગ લેવાની તક મળી નથી. અર્જુન તેંડુલકરને IPL 2024માં માત્ર એક જ મેચમાં બોલિંગ કરવાની તક મળી હતી, જેમાં તેણે 14 બોલમાં 22 રન આપ્યા હતા. અગાઉ 2023માં તેને મુંબઈ ઈન્ડિયન્સ માટે 4 મેચ રમવાની તક મળી હતી. તેણે IPL 2023માં SRH, PBKS અને ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં એક-એક વિકેટ લીધી હતી.

Also Read

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker