ધર્મતેજ

વિદેશોમાં પણ ગુંજતી સાધુ, સંતોની વાણી

આચમન -અનવર વલિયાણી

સાધુ, સંતો, સૂફીઓના સાન્નિધ્યમાં આવવાથી ન કેવળ ધર્મના ઉપદેશોનું જ પરંતુ દુન્યવી જીવનનું પણ અમૂલ્ય જ્ઞાન-બોધ મળી રહેવા પામતું હોય છે. અમેરિકામાં આવા જ એક સંતના મુખેથી સાંભળેલ કેટલીક બોધદાયક વાતોનો સાર વાચકોને પણ બોધ આપનારું બની રહેવા પામશે:

  • જે નાટક, વાર્તા, નવલિકા કે કથા- નવલકથા ઈશ્ર્વરનાં સિદ્ધાંતો, નિયમો, લક્ષ્મણરેખાઓ પ્રતિ અસર કરે તેવી રીતે ધ્યાન ખેંચે, એનો અમલ કરવા તરફ પ્રેરે તે સરસ કહેવાય.
  • યુરોપ- અમેરિકાના લેખકો ટોલ્સટોય, શેક્સપિયર, ચેખોવ, મન્ટો કે ભારતના ખ્વાજા અહમદ અબ્બાસ વગેરે જેવા લેખકોની વાર્તા કે નાટકોનો અંત ‘ખાધું-પીધુંને રાજ કર્યું’ તેવો આવતો નથી.
    જ્યાં જ્યાં નવાં મૂલ્યો પ્રજા પાસે, સમાજ પાસે કબૂલ કરાવ્યાં હોય ત્યાં કરુણાંતિકા જ અસર ઉપસાવી શકે છે. -એ નાટક અસ્પૃશ્યતા વિશે,
  • સતી થવા અંગે,
  • જમીનદારોના જુલમો વિશે,
  • આંતરજ્ઞાતિ- આંતરજાતિ લગ્ન વિશે
    -સાસુ- વહુના જુલમો, કે
  • વડીલોનું ધ્યાન ન રાખતા દીકરાઓ વિશે હોય, અથવા
  • અંધશ્રદ્ધા વિશે હોય,
    -લયલા-મજનૂ જેવાં પ્રેમીઓનું હોય!
  • એક શહર હો સપનાં કા,
  • ગર્મ હવા,
  • શોલે
  • મધર ઈન્ડિયા,
  • મેરા નામ જોકર પણ એવાં પ્રકારમાં જ આવે.
  • જેટલી પણ મહામાનવોની હત્યાઓ થઈ છે તે કરુણાંતિકાઓ જ હતી ને!
  • જિસસ,
  • ગાંધીજી,
  • અબ્રાહમ લિંકન,
  • ઈમામ હુસૈન
  • માર્ટીન લ્યુથર કિંગ,
    -સોક્રેટિસ,
  • ગૅલેલિયો
  • બ્રુનો જેવા અનેકની રિબામણી – હત્યા પછી જ (આમાં મધર ટેરેસા જેવી દયાની દેવી પણ અછૂતા રહી શકતાં નથી) સમાજે નવાં મૂલ્યો સ્વીકાર્યાં છે, એ પણ અમુક અંશે જ.
  • હજુ પણ
  • ગુલામી,
  • અસ્પૃશ્યતા,
  • ધર્મોના ઝઘડા
  • યુદ્ધો
  • અંધ શ્રદ્ધા,
  • જ્ઞાતિપ્રથા તથા લગ્નોમાં મનભેદ અને મતભેદો છે જ સનાતન સત્ય: -કરુણાંતિકાની રજૂઆતનો એક ઉદ્ેશ પ્રશ્ર્નો પ્રત્યે જાગૃત અને ‘સંવેદનશીલ’ બનાવવાનો પણ હોય છે.
  • આંતરિક અગ્નિને ફૂંક મારીને પ્રજવલિત કરવાનો હોય છે.
  • આજે પણ જગતમાં કેટલીય મા, પત્ની, વિધવાઓ, વૃદ્ધો, દીકરીઓ ઝેરના ઘૂંટડા પીને પણ જીવી રહ્યાં છે. આ લેખ પણ કરુણાંતિકા જ છે ને!
    છે નિરાશામાં એક નિરાંત ‘મરીઝ’,
    હા બધા દર્દની દવા જાણે
    પ્રેમાળ થઈને કોઇ શિખામણ દઈ શકે જીવનમાં એક એવું પતન હોવું જોઈએ.

એક વાત કહી રહ્યો છું
સાહિત્યના વિષયમાં,
દુ:ખમાં હૃદયને રાખો,
રાખો ન દુ:ખ હૃદયમાં!
પ્રાર્થના
અય માલિક તેરે બંદે હમ,
હો અપને હમારે કરમ….
નેકી પર ચલે, ઔર
બદી સે બચે;
તાકે હસતે હુએ
નીકલે હમ….
અય માલિક તેરે બંદે હમ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…