નેશનલ

ઉત્તર પ્રદેશની શર્મનાક ઘટના : માતા અને પત્નીની હત્યા કરી, ત્રણ બાળકોને છત પરથી ફેંકી ખુદે આત્મહત્યા કરી

નવી દિલ્હી : માનવીય સબંધો અને માનવતાને શરમાવે તેવી એક ઘટના ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) સીતાપુરથી સામે આવી છે. અહીં એક ચસકેલ મગજના વ્યક્તિએ પહેલા પોતાના જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી અને પછી ખુદે આત્મહત્યા (committed suicide) કરી લીધી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, આરોપીએ પહેલા તેની માતાને ગોળી મારી અને પછી તેની પત્નીને હથોડી વડે માર મારી હત્યા કરી. તેની હેવાનીયત આટલેથી ન અટકતા, તેણે તેની માતા અને પત્નીની હત્યા કર્યા બાદ તેના ત્રણ બાળકોને પણ છોડ્યા નહીં. આરોપીએ તેના ત્રણ બાળકોને એક પછી એકને ઘરની છત પરથી ફેંકી દીધા. જેના કારણે ત્રણેય બાળકોના મોત થયા હતા. પરિવારના પાંચ સભ્યોની નિર્દયતાથી હત્યા કર્યા બાદ આરોપીએ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.

હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તમામ મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા છે. પોલીસ આ મામલે વાળું તપાસ હાથ ધરી છે. પોલીસ ઘટના સ્થળની નજીકમાં રહેતા લોકોની પણ પૂછપરછ કરી રહી છે. આ ઉપરાંત મૃતકના અન્ય સંબંધીઓની પણ આ મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ હાલમાં એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે વ્યક્તિએ પરિવારના તમામ સભ્યોની હત્યા શા માટે કરી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત