ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને ભૂલી જવાની આદત છે. એકવાર તે હોટલના રૂમમાં તેની લગ્નની વીંટી ભૂલી ગયો હતો. રોહિત શર્માની આ રસપ્રદ વાત જાણો.
રોહિત શર્મા ક્રિકેટના મેદાન પર તેના શાનદાર ટાઈમિંગ માટે જાણીતો છે. પરંતુ મેદાનની બહાર તેને ભૂલી જવાની બુરી આદત છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત પ્રવાસ દરમિયાન પોતાની સાથે ઘણી મહત્વની વસ્તુઓ લેવાનું ભૂલી ગયો છે. રોહિત શર્મા મુસાફરી દરમિયાન પાસપોર્ટ, આઈપેડ, ટેબલેટ જેવી મહત્વની વસ્તુઓ સાથે લેવાનું ભૂલી ગયો છે. એકવાર તે એરપોર્ટ પર તેની બેગ લેવાનું ભૂલી ગયો. રોહિતની ભૂલી જવાની વાત તેના સાથી ખેલાડીઓએ ઘણી વખત જાહેર કરી છે.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા એક વખત હોટલમાં પોતાના લગ્નની વીંટી ભૂલી ગયો હતો. આ ઘટના ત્યારે બની હતી જ્યારે તેના નવા-નવા લગ્ન થયા હતા. રોહિતને વીંટી પહેરવાની આદત નથી. રાત્રે સૂતા પહેલા તેણે વીંટી કાઢીને સાઇડ ટેબલ પર રાખી હતી. બીજા દિવસે તે ટીમ સાથે નીકળી ગયો હતો. જ્યારે રોહિત અડધા રસ્તે પહોંચ્યો ત્યારે તેને તેની લગ્નની વીંટી યાદ આવી. જોકે, તેને તેની વીંટી પાછી મળી ગઇ હતી.
રોહિત શર્માએ 13 ડિસેમ્બર 2015ના રોજ રિતિકા સજદેહ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા રિતિકા હિટમેનની મેનેજર હતી. આ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા અને પછી તેઓએ લગ્ન કરી લીધા હતા. રોહિત શર્મા અને રિતિકા સજદેહને સ્ટાર કપલ માનવામાં આવે છે. રોહિત ઘણીવાર રજાઓમાં પરિવાર સાથે સમય વિતાવે છે. રોહિતને સમાયરા નામની પુત્રી છે. સમાયરાનો જન્મ 30 ડિસેમ્બર 2022ના રોજ થયો હતો.