દરેક ખાદ્ય પદાર્થમાં પોષકતત્વો છે, પરંતુ તે ક્યારે અને કેટલા પ્રમાણમાં ખાવામાં આવે છે, તે પણ તેટલું જ મહત્વનું છે
ઘણા ફળ કે પીણા એકલા કે ખાલી પેટ ખાવા શરીરને નુકસાનકારક હોય છે ત્યારે આવો જાણીએ ખાલી પેટ શું શું ખાઈ શકાય?
તમે ખાલી પેટે બે કેળાં ખાઈ શકો. તેમાં પોટેશિયમ અને નેચરલ શૂગર છે અને કેળાં પચવામાં ઘણા આસાન છે
તમે પપૈયું પણ ખાઈ શકો છો. એક તો તેમાં ભરપૂર ફાયબર છે આથી તે પાચનક્રિયા સરળ બનાવે છે અને પેટ પણ ભારે થતું નથી
ઉનાળામાં આવતું તરબૂચ પણ તમે ખાલી પેટે ખાઈ શકો. એક તો તે પાણીનો સ્ત્રોત છે અને શરીરને હાઈડ્રેટ રાખે છે
તરબૂચની જેમ સફરજનમાં પણ કેલરી ઓછી હોય છે, ફાયબર વધારે હોય છે અને શૂગર લેવલ કન્ટ્રોલ કરે છે
કોઈપણ જાતના બેરી, ક્રેનબેરી, રાસબેરી, સ્ટ્રોબેરી પણ ખાઈ શકો છો. જે એન્ટિઑસ્કિડેન્ટ છે અને વિટામિન્સ પણ આપે છે.
આ સાથે તમે રાત્રે પાણીમાં પલાળેલી બદામ પણ ખાઈ શકો. જે હેલ્ધી ફેટ સાથે પોષકતત્વો પણ આપે છે
તમે ગરમપાણી સાથે મધ પી શકો જે તરત જ એનર્જી આપશે અને જો તમને ભાવે તો યોગર્ટ પણ ખાઈ શકો જે પ્રોટિનથી ભરપૂર છે.
આ વસ્તુઓ ખાતા પહેલા તમારા નિષ્ણાતને પૂછી લેજો. તમારા શરીરની તાસિરને શું માફક આવે છે તે તેઓ જ જણાવશે.