શ્વાન કેમ ચપ્પલ ઉપાડી જાય છે?

ઘરની બહાર કે મંદિર બહારથી શ્વાન ચપ્પલ ઉપાડી ગયું હોય તેવી ઘટનાઓ લગભગ બધાની જાણમાં હશે જ

ત્યારે સવાલ એ છે કે ઘણી વસ્તુઓ પડી હોય તો પણ શ્વાન એક ચપ્પલ જ કેમ ઉપાડી જાય છે, ચાલો જાણીએ સંશોધન શું કહે છે?

આ સ્થિતિને અંગ્રેજીમાં પિકા (PICA) કહેવાય છે જે એક compulsive eating disorder છે. જે શેરીના કે પાળતું શ્વાનને પણ થઈ શકે છે

આ સ્થિતિમાં એક તો શ્વાનમાં જરૂરી પોષક તત્વોની ઉણપ હોય છે, જેમકે વિટામિન્સ કે મિનરલ્સ ઓછા હોય છે

ઊંઘ આવતી નથી અને શરીરમાં બેચૈની રહે છે અને ભૂખ ન લાગી હોય તો પણ ન ખાઈ શકાય તેવી વસ્તુઓની તલબ લાગે છે

 આ સાથે શ્વાન જો ચપ્પલ, કચરો કે ન ખાવાની વસ્તુ તરફ વળે તો તે તમારું ધ્યાન તેના તરફ ખેંચવા માગે છે

શ્વાનની સુંઘવાની શક્તિ બહુ તેજ હોવાથી તેમને ચપ્પલ વધારે આકર્ષે છે, આથી તે જૂના જૂતા ઉપાડી જાય છે

જો શ્વાન આવું વર્તન વારંવાર કરે તો તેને ડાયેરિયા, ગેસ્ટ્રો થવાનો ડર રહે છે. સતત ઉલટી થયા કરે છે અને તેના દાંત પણ ખરાબ થાય છે

તમારા પાળતું શ્વાન કે શેરીના શ્વાનને ન ખાવાની વસ્તુઓ ખાવાની આદત હોય તેને વેટરિનરી ડોક્ટર પાસે લઈ જઈ તેની સારવાર જરૂરી છે

 આ સાથે તેમને અનુરૂપ એવું વાતાવરણ, તમારું ધ્યાન અને તમારી આળપંપાળની પણ જરૂરત હોય છે

આ વિશે વેટરિનરી ડોક્ટર્સ કે એનિમલ એસ્કપર્ટ્સની સલાહ લઈ શકાય અને આપણી આસપાસના પ્રાણીઓને સારી લાઈફ આપી શકાય

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...