પાકા નહીં પણ કાચા કેળાંના ગુણની આજે કરીએ વાત

ફળ તરીકે કેળાં વ્યાપક પ્રમાણમાં વપરાય છે, પરંતુ આજે આપણે શાકભાજી તરીકે કાચા કેળાંની વાત કરવી છે

પાકા કેળાં ખાવાના ફાયદા સાથે અમુક નુકસાન પણ છે. ખાસ કરીને કેળાંથી વજન વધે છે અને ઘણાને શરદી થાય છે

પણ કાચા કેળાં ઘણા ગુણકારી છે. તેનું શાક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે અને ઉપવાસમાં પણ ખાઈ શકાય છે, તો ચાલો જાણીએ ફાયદા

કાચા કેળાંમાં ડાયેટરી ફાયબર ભરપૂર હોવાથી પેટ ભરાયેલું રહે છે, વારંવાર ભૂખ લાગતી નથી, આથી વજન ઉતારવામાં મદદરૂપ થાય છે

 કાચા કેળાનો ગ્લાયસેમિક ઈન્ડેક્સ 30 કરતા પણ ઓછો છે, જેથી પચવામાં સરળ છે અને ડાયાબિટિસના પેશન્ટ પણ ખાઈ શકે છે

કાચા કેળાનું ફાયબર કૉલસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે અને પોટેશિયમ બ્લડશૂગરને નિયંત્રણમાં રાખે છે, હાર્ટહેલ્થ માટે કાચા કેળાં સારા છે

કાચા કેળામાં એન્ટિઑક્સિડેન્ટ્સ સાથે વિટામિન્સ છે, જે ત્વચાને સૂકી બરછટ થતી બચાવે છે, આ સાથે રોગ પ્રતિકારકશક્તિ પણ વધારે છે

જેઓ બટેટા નથી ખાતા તેમની માટે કાચા કેળાં એક સારો વિકલ્પ છે જ. માત્ર શાક કે ચિપ્સ નહીં ઘણી વાનગીઓ કાચા કેળામાંથી બને છે

આમ તો કાચા કેળાં એક સામાન્ય એવી વસ્તુ છે, પરંતુ તમારા શરીર માટે સારી કે નહીં તે માટે  નિષ્ણાતોની સલાહ લેશો

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...