હજારો શિવલિંગોનો રાજ્યાભિષેક કરે છે આ નદી

નર્મદા નદીને રેવા નદીના નામે પણ ઓળખવામાં આવે છે

તે મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળી મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી વહી ખંભાતના અખાતને મળે છે 

નર્મદા ભારતની પાંચમી સૌથી મોટી અને હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર ખૂબ જ પવિત્ર નદી છે 

ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને વિભાજિત કરવાની દ્રષ્ટિએ નર્મદા નદી એક મહત્વપૂર્ણ કડી છે 

 નર્મદા નદીના કિનારે બનેલો ઓમકારેશ્વર ટાપુ ભગવાન શિવને સમર્પિત છે અને ખૂબ જ પૂજનીય છે 

આ નદીના કિનારે મળતા દરેક પથ્થરોને શિવલિંગ મનાય છે અને  ધાર્મિક હેતુઓ માટે વપરાય છે 

નર્મદા નદીની ઊંડાઈ ક્યાંય સમાન નથી. આમલી ઘાટ પર નદીની ઊંડાઈ 101 ફૂટ છે 

વૈજ્ઞાનિકો માને છે કે નર્મદા નદીનો ઊલટો પ્રવાહનું કારણ રીફ્ટ વેલી છે

આ નદી જે વિસ્તારોમાંથી વહે છે તે પ્રવાસીઓ માટે લોકપ્રિય પિકનિક સ્થળ અને આકર્ષણનું કેન્દ્ર બને છે