આ હેડિંગ વાંચી તમને લાગે કે કોઈ ધર્મ કે જ્યોતિષી સંબંધિત વાત અથવા દંતકથા જેવું હશે તો ના, આ વિજ્ઞાન કહે છે

વરસાદની ઋતુમાં જ્યારે આકાશમાં વીજળીના કડાકાભડાકા થતા હોય ત્યારે તમારે શૉવરબાથ સહિતની ઘણી ક્રિયાઓ ન કરવી જોઈએ, જાણો કારણ

જો તમારા ઘર ઉપર જ વીજળી (thunderstorm)થતી હોય તો તે કરંટ પ્લમિંગ લાઈન દ્વારા તમારા ઘરમાં આવી શકે છે

આ વીજળી સેકન્ડમાં 360 ડિગ્રીની ઝડપે પસાર થાય છે, જે સારી રીતે બાંધકામ થયેલા ઘરોમાં જમીનમાં જતી હોય છે, પરંતુ ક્યારેક આમ ન પણ બને

મેટલના પાઈપ અને તેમાંનું પાણી ઈલેક્ટ્રિસિટી પકડી લે છે, જો તમે શૉવર લેતા હોય તો તમને કરંટ લાગી શકે છે

આ કરંટ જૂજ કેસમાં જીવલેણ સાબિત થાય છે, પણ ન્હાતા સમયે તમને અચાનક શૉક લાગી શકે તેવી શક્યતા નકારી શકાતી નથી

આ માટે પ્લાસ્ટિકના પાઈપ ઘણા પસંદ કરે છે જે વધારે સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ સાવ જોખમ નથી તેમ નથી

માત્ર ન્હાતા સમયે જ નહીં, સીધા નળમાંથી પાણી સાથે કરવાના કોઈપણ કામ વીજળી થતી હોય ત્યારે ન કરવા

નિષ્ણાતોના કહેવા અનુસાર આ વિગતોનું યોગ્ય દસ્તાવેજીકરણ થયું નથી, પરંતુ જોખમ ચોકક્સ છે

આ માહિતી અમારા પ્રાથમિક સંશોધનના આધારે છે. આપ આપના નિષ્ણાતોની સલાહ માની શકો.

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...