સોનમ અને રાજાના અરેન્જ્ડ મેરેજના આવેલા કરૂણ અને ચોંકાવનારા અંજામે લગ્નસંબંધ સામે સવાલો ઊભા કર્યા છે
ભારતીય સમાજમાં લગ્નને પવિત્ર સંસ્કાર માનવામાં આવે છે, પણ સમય સાથે ઘણું બદલાયું છે જેને અવગણી શકાય તેમ નથી
ખાસ કરીને અરેન્જ્ડ મેરેજમાં બે અજાણ્યા યુવક-યુવતી જોડાઈ ત્યારે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, નિષ્ણાતનો મત પણ લઈ શકાય છે
યુવક-યુવતી લગ્ન પહેલા મળે ત્યારે ખુલીને વાત કરે તે જરૂરી છે. એકબીજાને જજ ન કરતા સમજવાનો પ્રયત્ન કરે
એકબીજાની આર્થિક સ્થિતિ, કરિયર ગોલ્સ વિશે જાણો. તે અનુસાર જ આગળના પ્લાન બનાવો. લગ્નનો ખર્ચ પણ બન્નેની સ્થિતિ ધ્યાને લઈ કરો
આ બે વ્યક્તિ અને બે પરિવારો વચ્ચેનો સંબંધ છે એટલે સમાધાન તો કરવા જ પડશે, તેની તૈયારી હોય તો જ લગ્નબંધનમાં જોડાઓ
સંબંધોમાં એકબીજાને સમર્પિત થવું જરૂરી છે, પણ સાથે પોતાની જાતની સંભાળ લેવી, માન-સન્માન જાળવવું પણ જરૂરી છે
સગાઈ બાદ કે લગ્ન બાદ જો સંબંધમાં કડવાશ આવે અને સાથે રહેવાનું શક્ય ન લાગે તો પ્રેમથી છૂટ્ટા પડી જવું હિતાવહ છે