યોગસાધનાને કરિયર બનાવવું હોય તો આ છે વિકલ્પો

21મી જૂને આખું વિશ્વ યોગ દિવસ મનાવશે. યોગ એક સાધના છે અને ચિકિત્સા પણ છે, ભારતીયો માટે સાંસ્કૃતિક વારસો પણ છે

લોકો ફરી યોગ તરફ વળતા દેશ વિદેશમાં યોગશિક્ષક અને નિષ્ણાતોની માગ વધી છે. તમે પણ ઈચ્છો તો યોગસાધના ક્ષેત્રમાં કરિયર બનાવી શકો છો

 બારમાં ધોરણ બાદ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ઘણા કોર્સ થાય છે, જાણો અને વિચારો આ કરિયર તમારી માટે કેવું રહેશે?

 તમે યોગમાં બીએ કરી શકો છો. આ બેચરલ ડિગ્રી તમને યોગસાધનાની માહિતી સાથે તમામ પ્રકારના યોગ અને તેના ફાયદા શિખવશે. 

યોગમાં બીએસસી પણ કરી શકાય. આ તમે શરીર રચના અને યોગનો સંબંધ અને તેની મન-શરીર પર અસર અંગે બધુ જ શિખવાડશે

યોગમાં અનુસ્નાતક કક્ષાના કોર્સ થાય છે, જેમાં એમએ.બે વર્ષનો કોર્સ છે, ત્યારબાદ વિશેષ સંશોધન કરી તમે પીએચડી પણ કરી શકો

ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ જો તમે માસ્ટર ડિગ્રીના કોર્સ કરો તો ફિઝિયોલોજી, યોગ ઉપનિષદ, યોગ થેરેપી અને યોગ સૂત્રો જેવા વિષયો વિસ્તારથી ભણાવવામાં આવે છે

12માં ધોરણ પછી યોગમાં ડિપ્લોમા અને ગ્રેજ્યુઅશન પછી પીજી ડિપ્લોમા કોર્સ પણ થાય છે, જે તમને સારી એવી તાલીમ આપે છે, સર્ટિફિકેટ કોર્સ પણ થાય છે

સેલિબ્રિટીથી માંડી સામાન્ય માણસો યોગ કરવા માટે ખાસ નિષ્ણાતો રાખે છે અને સારા એવા પૈસા પણ આપે છે, તો ઝંપલાવો તમે પણ.

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...