આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સિંદૂરનો છોડવો વાવ્યો છે. ઑપરેશન સિંદૂર બાદ લોકોની ભાવના પણ જોડાઈ ગઈ છે
તમે પણ ઈચ્છો તો ઘરે સિંદૂરનો છોડ ઉગાડી શકો છો. તમારા ઘરની બગીચા અથવા બાલ્કનીના કુંડામાં પણ આ છોડ ઉગી શકે છે
સિંદૂર બે રીતે ઉગાડી શકાય છે. એક તો તમે તેની છોડ એટલે કે કલમ લઈને વાવી શકો અથવા તેના બીજ પણ વાવી શકાય
સૌ પ્રથમ જો કુંડામાં માટી હોય તો તેને કાઢી તેને તડકામાં તપવા દેજો. ત્યારબાદ તેમાં જરૂર પૂરતુ ખાધ્ય ઉમેરી માટીને કુંડામાં નાખી દો
હવે કુંડામાં બે ઈંચ જેટલી ઊંડી જગ્યા કરી સારી ક્વૉલિટીના બીજ વાવો અને તેમાં હાથેથી પાણીમો છંટકાવ કરો
બીજ અંકુરિત થાય પછી તેમાં અઠવાડિયામાં ત્રણ દિવસ સમયે સમયે પાણીનો છંટકાવ ભૂલ્યા વિના કરો
સિંદૂરનું ફળ લગભગ એકાદ વર્ષમાં ઉગશે. ફળ લાલ થાય એટલે તેને તોડી શકાય છે
આ ફળની અંદર જ સિંદૂરના નાના-નાના બીજ હોય છે, જેનો પાવડર બનાવી તેને કુમકુમ, લિપસ્ટિક જેવી વસ્તુઓમાં વાપરવામાં આવે છે.
તો તમે પણ ઘરે કુંડામાં ઉગાડવાની ટ્રાય કરો. જરૂર જણાય તો તમારા ગાર્ડિનંગ એક્સપર્ટની મદદ લઈ શકો.